SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 2893848 28 29 જૈન સનાતન વીતરાગ દર્શન % % આત્મા વિના સમ્યક્ત્ત્વાદિ પરિણામ ન હોય, પોતાના બધા પરિણામનો કર્તા આત્મા છે, તેના વગર કર્મ ન હોય. સોનું નથી ને ઘરેણાં બની ગયા, વસ્તુ નથી ને અવસ્થા થઈ ગઈ–એમ બને નહિ. અવસ્થા છે તે ત્રિકાળી વસ્તુને જાહેર કરે છે – પ્રસિદ્ધ કરે છે કે આ અવસ્થા આ વસ્તુની છે. આત્મા કર્તા થઈને જડકર્મને બાંધે–એવું વસ્તુસ્વરૂપમાં નથી. જડ કર્મ આત્માને વિકાર કરાવે – એવું વસ્તુસ્વરૂપમાં નથી. મંદ કષાયના પરિણામ સમ્યક્ત્વનો આધાર થાય-એવું વસ્તુસ્વરૂપમાં નથી. શુભ રાગથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય - એવું વસ્તુસ્વરૂપમાં નથી. વસ્તુસ્વરૂપને વિપરીત માનતાં તારા આત્માને બહુ દુઃખ થશે. વસ્તુનું જે સ્વરૂપ છે તે ત્રણકાળમાં આઘું પાછું નહિ ફરે. કોઈ જીવ અજ્ઞાનથી એને વિપરીત માને તેથી કાંઈ સત્ય ફરી ન જાય. કોઈ સમજે કે ન સમજે, સત્ય તો સદા સત્યરૂપે જ રહેશે, તે કદી ફરશે નહિ. જેમ છે તેમ તેને જે સમજશે તે પોતાનું કલ્યાણ કરી જશે. વસ્તુ પોતે કર્તા અને તેનું કાર્ય બંને એક જ વસ્તુમાં હોવાનો નિયમ છે, તે ભિન્ન વસ્તુમાં હોતાં નથી. આ લાકડી ઊંચી થઈ તે કાર્ય; તે કોનું કાર્ય? કર્તાનું કાર્ય; કર્તા વગર કાર્ય ન હોય. કર્તા કોણ? લાકડીની આ અવસ્થાના કર્તા લાકડીના રજકણો જ છે. આ હાથ, આંગળી કે ઈચ્છા તેના કર્તા નથી. કર્તા વગરનું કર્મ નથી, ને બીજો કોઈ કર્તા નથી. બધા જ પદાર્થોના બધા કાર્યોમાં તે તે પદાર્થનું જ કર્તાપણું છે – એમ સમજી લેવું. - કર્તા વગર કાર્ય હોતું નથી એ સિદ્ધાંત છે, ત્યાં કોઈ કહે કે આ જગત તે કાર્ય છે ને ઈશ્વર તેનો કર્તા છે, તો એ વાત વસ્તુસ્વરૂપની નથી. દરેક વસ્તુ પોતે જ પોતાની પર્યાયનો ઈશ્વર છે, ને તે જ કર્તા છે, એનાથી ભિન્ન બીજો કોઈ ઈશ્વર કે બીજો કોઈ પદાર્થ કર્તા નથી. પર્યાય તે કાર્ય ને પદાર્થ તેનો કર્તા. કર્તા વગર કાર્ય નથી ને બીજો કોઈ કર્તા નથી. ન કોઈપણ અવસ્થા થાય શુદ્ધ અવસ્થા, વિકારી અવસ્થા કે જડ અવસ્થા - તેનો કર્તા ન હોય એમ બને નહિ, તેમ જ બીજો કોઈ કર્તા હોય – એમ પણ ન બને. તો શું ભગવાન તેનો કર્તા છે? આ આત્મા પોતે ભગવાન છે તે જ કર્તા થઈને પોતાના શુદ્ધ-અશુદ્ધ પરિણામને કરે છે. જડના પરિણામને જડપદાર્થ કરે છે. અવસ્થાને રચનાર ઈશ્વર છે. દરેક વસ્તુ પોતપોતાની Jain Education International ૫૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy