________________
89 9 જેને સનાતન વીતરાગ દર્શન આઉટ ૩. રૂપીયા જવાના હતા માટે ઈચ્છા થઈ એમ પણ નથી. ૪. હાથનું હલનચલન તે હાથના પરમાણુના આધારે છે. ૫. રૂપિયાનું આવવું – જવું તે રૂપિયાના પરમાણુના આધારે છે. ૬. ઈચ્છા થવી તે આત્માના ચારિત્રગુણના આધારે છે. ૭. આ બધાનું જ્ઞાન થયું તે આત્માના જ્ઞાનગુણના આધારે છે. આ
આ તો ભિન્નભિન્ન દ્રવ્યના પરિણામની ભિન્નતાની વાત થઈ. અહીં તો એક જ દ્રવ્યના અનેક પરિણામો પણ એકબીજાના આશ્રયે નથી – એમ બતાવવું છે. રાગ અને જ્ઞાન બંને કાર્ય જુદા છે, એકબીજાના આશ્રયે નથી. '
કોઈએ પ્રતિકૂળતા કરી કે ગાળ દીધી ને જીવને દ્વેષના પાપપરિણામ થયા, ત્યાં તે પાપના પરિણામ પ્રતિકૂળતાના કારણે થયા નથી, તેમ જ ગાળ દેનારના આશ્રયે થયા નથી, પણ ચારિત્રગુણના આશ્રયે થયા છે, ચારિત્રગુણ તે વખતે તે પરિણામરૂપે પરિણમ્યો છે. - હવે ઢેષ વખતે તેનું જ્ઞાન થયું કે “મને આ ષ થયો તે જ્ઞાનપરિણામ જ્ઞાનગુણના આશ્રયે છે, ક્રોધના આશ્રયે નથી. જ્ઞાન સ્વભાવી દ્રવ્યના આશ્રયે જ્ઞાનપરિણામ થાય છે, અન્યના આશ્રયે નહિ એ જ રીતે સમ્યગ્દર્શન પરિણામ, સમ્યજ્ઞાન પરિણામ, આનંદ પરિણામ વગેરેમાં પણ એમ સમજવું તે દ્રવ્યના આશ્રયે છે, અન્યના આશ્રયે નથી, તેમજ પરસ્પર એકબીજાના આશ્રયે પણ નથી.
આત્મા અંતરમાં અસ્તિરૂપ વસ્તુ છે, તેમાં અનંત ગુણ છે જ્ઞાન, શ્રદ્ધા, વીર્ય, આનંદ, અસ્તિત્ત્વ, વસ્તુક્ત ઈત્યાદિ. એ અનંતગુણોના ભિન્નભિન્ન જે અનંત પરિણામ સમયે સમયે થાય છે તે બધાનો આધાર પરિણામ એવું આત્મદ્રવ્ય છે, બીજી વસ્તુતો તેનો આધાર નથી, પણ પોતામાં બીજા ગુણના પરિણામ પણ તેનો આધાર નથી. આ રીતે સિદ્ધ થયું કે પરિણામ તે પરિણામીનું જ છે, અન્યનું નહિ. મોક્ષમાર્ગરૂપી કાર્યનો પણ કર્તા પણ તું જ છો; અન્ય કોઈ નહિ. પરિણામ તે જ કર્મ છે, અને તે પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. આવો નિર્ણય કરીને સ્વદ્રવ્યસન્મુખ લક્ષ જતાં-ત્યાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય છે, આત્માની અનુભૂતિ થાય છે.
સમ્યગ્દર્શન પરિણામ થયા તે આત્માનું કર્મ છે ને તે આત્મરૂપ પરિણામીના આધારે થયા છે. પૂર્વના મંદરાગના આશ્રયે કે વર્તમાનના શુભરાગના આશ્રયે તે સમ્યગ્દર્શન પરિણામ થયા નથી. શ્રદ્ધા પરિણામથી રાગપરિણામ અન્ય છે, તે શ્રદ્ધાના પરિણામ રાગના આશ્રયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org