SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 4848 48 48 58 59 જૈન સનાતન વીતરાગ દર્શન 998 8 8 8 ઈચ્છા પરિણામ અને જ્ઞાનપરિણામ બંનેનું જુદું પરિણમન છે, એકબીજાના આશ્રયે નથી. સત્ જેમ છે તેમ તેનું જ્ઞાન કરે તો સત્ જ્ઞાન થાય, ને સત્ત્નું જ્ઞાન કરે તો તેનું બહુમાન ને યથાર્થનો આદર થાય, રુચિ થાય, શ્રદ્ધા થાય ને તેમાં સ્થિરતા થાય તેનું નામ ધર્મ છે. સત્થી વિપરીત જ્ઞાન કરે તો ધર્મ ન થાય. મૂળ ધર્મ સ્વમાં સ્થિરતા છે, પણ વસ્તુસ્વરૂપના સાચા જ્ઞાન વગર સ્થિરતા કરશે શેમાં? જગતમાં પણ જે ચીજ જેમ હોય તેનાથી ઊલટી કોઈ કરે તો લોકો તેને મૂર્ખ કહે છે, તો આ સર્વશે કહેલો લોકોત્તર વસ્તુસ્વભાવ જેમ છે તેમ ન માનતાં વિરુદ્ધ માને તો તે લોકોત્તર મૂર્ખ અને અવિવેકી છે. વિવેકી અને વિચક્ષણ થયો – ક્યારે કહેવાય? કે વસ્તુના જે પરિણામ થયા તેને કાર્ય ગણી, તેને પરિણામી વસ્તુના આશ્રયે સમજે ને બીજાના આશ્રયે ન માને, ત્યારે સ્વ-પરનું ભેદજ્ઞાન થાય, ને ત્યારે વિવેકી થયો કહેવાય. પરના આશ્રયે આત્માના પરિણામ થતા નથી. અહીં તો વિકારી કે અવિકારી જે કોઈ પરિણામ જે વસ્તુના છે તે વસ્તુના આશ્રયે જ થાય છે, પરના આશ્રયે નથી. આ તો ભેદજ્ઞાન માટે વસ્તુસ્વભાવના નિયમો બતાવ્યા છે. દૃષ્ટાન્તથી યુક્તિથી વસ્તુસ્વરૂપ સિદ્ધ કરવામાં આવે છે. કોઈને એવા ભાવ થયા કે એકસો રૂપિયા દાનમાં આપું, તેના તે પરિણામ આત્મવસ્તુના આશ્રયે થયા છે; ત્યાં રૂપિયા જવાની ક્રિયા થાય તે રૂપિયાના રજકણના આશ્રયે છે, જીવની ઈચ્છાના આશ્રયે નહિ. હવે તે વખતે તે રૂપિયાની ક્રિયાનું જ્ઞાન, કે ઈચ્છાના ભાવનું જ્ઞાન થાય છે તે જ્ઞાનપરિણામ આત્માના આશ્રયે થયા છે. આમ દરેક પરિણામની વહેંચણી કરીને વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ. તારું જ્ઞાન અને તારી ઈચ્છા, એ બંને પરિણામ આત્મામાં જ હોવા છતાં તેઓ પણ એકબીજાના આશ્રયે નથી, તો પછી પરના આશ્રયની તો વાત જ શી? દાનની ઈચ્છા, રૂપિયા જવાની ક્રિયા, હાથનું હલવું અને તે બધાનું જ્ઞાન બધાં સ્વતંત્ર પરિણામ, સૌ પોતપોતાના આશ્રયભૂત વસ્તુના આધારે છે. જુઓ, આ સર્વજ્ઞના ઘરના વિજ્ઞાનપાઠ છે; આવું વસ્તુસ્વરૂપનું જ્ઞાન તે જ સાચું પદાર્થવિજ્ઞાન છે. વસ્તુસ્વભાવનું આવું વિજ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે, વીતરાગી વિજ્ઞાન છે. ૧. જીવને ઈચ્છા થઈ માટે હાથ હાલ્યો ને સો રૂપિયા દેવાયા એમ નથી. ઈચ્છાનો આધાર આત્મા છે, હાથ અને રૂપિયાનો આધાર પરમાણું છે. ૨. ૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy