________________
જે
જ જૈન સનાતન વીતરાગ દર્શન (૧૩) “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું, અને સર્વથા સર્વથી ભિન્ન છું.”
એ નિશ્ચય... અને તેનું ભાન કરી તેમાં અંશે અંશે સ્થિરતા વધારવી અને રાગ ટાળવો એ વ્યવહાર....
આવો નિશ્ચય-વ્યવહાર રૂપી ધર્મ સમજણથી થાય છે. (૧૪) “હું શુદ્ધ જ્ઞાયક છું.” અશુભથી બચવા માટે શુભભાવમાં જોડાવું તે પણ
વિકાર છે, વિકલ્પ છે, તે મારું ખરું સ્વરૂપ નથી.
આમ સમજી પોતાના પરિણામ સુધારવાનો પ્રયત્ન રાખવો. (૧૫) પહેલાં પુણ્ય-પાપ રહિત આત્મ સ્વભાવને શ્રદ્ધા-જ્ઞાનમાં નક્કી કરીને, પછી
પુણ્ય-પાપરૂપ વિકારથી પાછો ખસી અંતરમાં અરૂપી જ્ઞાન શાંતિમાં ઠરવું, એ જ આત્માર્થીનું કર્તવ્ય છે. સર્વ પ્રથમ આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ -
એ માટે ધર્મની પ્રક્રિયા આ પ્રમાણે બતાવવામાં આવી છે. (૧૬) (૧) પાત્રતા કેળવવી જોઈએ - રૂચિ એનું ખાસ લક્ષણ છે.
(૨) અભ્યાસ : નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય કરવો જોઈએ. (૩) યથાર્થ નિર્ણય ઃ જે અભ્યાસ કરવો તેમાં તત્ત્વનો વિચાર, ચિંતન,
મનન એ મુખ્ય છે. તત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરવી જોઈએ અને તેમાં સાચા નિમિત્ત જે દેવ-ગુરુ-શાસ્ત્ર છે તેનું સ્વરૂપ જાણી યથાર્થ શ્રદ્ધાન
કરવું. (૪) સ્વ-પરનું યથાર્થ સ્વરૂપ સમજી – ભેદજ્ઞાન કરવું. જીવનમાં દરેક
ઉદય સમયે – પર્યાયે પર્યાયે ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. ભેદજ્ઞાન
એ જ ખરી કળા છે. (૫) ભેદજ્ઞાનથી આત્માની અનુભૂતિ થાય. એટલે સત્ ધર્મ પ્રગટ
કરવા-સમ્યગ્દર્શન પ્રગટ કરવા-સાચા સુખની અનુભૂતિ-સ્વાનુભૂતિ જ એક ઉપાય છે. આત્માની અનુભૂતિ એ જ જૈન શાસન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org