SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 889 જેને સનાતન વીતરાગ દર્શન આ- ---- (૧૩) પુણ્યને ધર્મ માનવો એ શ્રદ્ધાગુણની વિપરીતતા છે. મિથ્યાત્વ છે. પુણ્યથી ધર્મની શરૂઆત નથી થતી. ગુણસ્થાન નથી બદલાતું - ફક્ત ગતિ બદલાય છે. સ્વર્ગાદિ ઉચ્ચપદ મળે છે. (૧૩) ધર્મને સત્ ધર્મ માનવો સમ્યકત્વ છે, સમકિત છે. ધર્મની શરૂઆત સમકિતથી થાય છે. ગુણસ્થાન બદલાય છે. જીવ પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાને આવે છે. (૧૪) પુણ્યભાવ આત્માની પર્યાયમાં થાય છે - તે વખતે તેને અનુકૂળ દેહની (મન-વચન-કાયાની) ક્રિયા પણ જોવામાં આવે છે. પણ આત્મા જડની ક્રિયા ત્રણકાળમાં કરી શકે નહિ. (૧૪) આત્માનો ધર્મ પણ પર્યાયમાં જ થાય છે - તે આત્માની રુચિ-પ્રતીતિ જિજ્ઞાસા-લક્ષ અને એકાગ્રતા કરવાથી થાય છે. દેહની ક્રિયાથી થતો નથી. (૧૫) આસવ-બંધમાં પુણ્યનો સમાવેશ થાય છે. (૧૫) સંવર-નિર્જરા-મોક્ષ તત્ત્વમાં ધર્મનો સમાવેશ થાય છે. (૧૬) અજ્ઞાની પુણ્યથી ધર્મ માને છે. તેને સત્ ધર્મનું જ્ઞાન ને શ્રદ્ધાન નથી. (૧૬) જ્ઞાનીઓને પુણ્ય હેય રૂપે હોય છે. તેનાથી ધર્મ થશે એમ તે માનતા નથી. સારરૂપઃ આ રીતે પુણ્ય અને ધર્મનો ભેદ સમજવાથી જીવ-અજીવ, આત્મા-દેહ, જ્ઞાન અને રાગ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ બરાબર સમજાઈ જશે - જે સમ્યગ્દર્શનનું-ધર્મનું કારણ છે. પુણ્ય-પાપ અને ધર્મ સંબંધી આત્માર્થી જીવને વિવેક કેવો હોય? (૧) પાપ માર્ગમાં પ્રવૃત્તિ કરે તો તે પાપ તો કાળકૂટ ઝેર સમાન છે. એકલા પાપથી તો નરક-નિગોદમાં જાશે. (૨) હિંસા, જુઠ, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મચર્ય એ બધી પાપની પ્રવૃત્તિ છે. તે પાપ તો બધી રીતે સર્વથા હેય છે. (૩) મિથ્યાત્વ - સ્વરૂપ સંબંધી વિપરીત માન્યતા એ મહા પાપ છે. (૪) વિકારનું કાર્ય કરવા જેવું છે, એમ માનનાર જીવ વિકારને તોડી શકે નહિ. કોઈ જીવ આત્માને એકાંત શુદ્ધ જ માને, અજ્ઞાનભાવે વિકાર કરે છતાં ન માને, તો વિકારને તોડી શકે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy