________________
88 98988
જૈન સનાતન વીતરાગ દર્શન
% % % %
(૧૩) પૂર્વ કર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં.
(૧૪) પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહી. (૧૫) બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહી. (૧૬) તારા નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ. (૧૭) તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.
(૧૮) તારો દોષ એટલો જ છે કે અન્યને પોતાનું માનવું, અને પોતે પોતાને ભૂલી જવું.
(૧૯) અંતરમાં સુખ છે, બહારમાં નથી.... સત્ય કહું છું.
(૨૦) હે જીવ ! ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહારમાં શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે.
(૧૦) પુણ્ય અને ધર્મ અથવા શુભભાવ અને શુદ્ધભાવ
(૧) પુણ્ય તો આ જીવ અનાદિથી કરતો આવ્યો છે. તે પૂર્વમાં અનંતવાર થયો છે. તેનો ઉપદેશ પણ બધા જ આપે છે.
(૧) જીવે ધર્મ તો અનાદિકાળમાં એક સમય માત્ર કર્યો નથી. એ ધર્મ અપૂર્વ વસ્તુ છે. તેનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક છે.
(૨) પુછ્યું તો અજ્ઞાની અને અભવ્ય જીવ પણ કરે છે. તેને આત્માના ભાન વગર ધર્મ જરાપણ થતો નથી.
(૨) જેઓ અરિહંત, સિદ્ધ થયા છે અને પૂર્ણ સુખનો અનુભવ કર્યો છે એવા પાત્ર જીવો ધર્મથી જ ખરું સુખ પામ્યા છે.
(૩) પુણ્ય પરના આશ્રયે થાય છે.
(૩) ધર્મ પોતાના આત્માના આશ્રયે જ થાય છે.
(૪) પુણ્યનું ફળ સંસાર છે. ચારગતિનું પરિભ્રમણ છે. પુણ્યથી એકપણ ભવનો છેદ થતો નથી.
(૪) ધર્મનું ફળ મોક્ષ છે. સાક્ષાત્ સુખ છે. પંચમગતિ પ્રાપ્ત થાય છે. ધર્મથી ભવભ્રમણનો અંત આવે છે.
(૫) પુણ્યથી બહારની અનુકૂળ સામગ્રી મળે છે. મર્યાદીત સમય માટે સંયોગોમાં અનુકૂળતા જણાય છે.
Jain Education International
૪૩
For Personal & Private Use Only
www.jainelibrary.org