SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) જેન સનાતન વીતરાગ દર્શન 8 889 અભેદરૂપે પરિણમી જાય છે ત્યારે એ સ્વાનુભૂતિની દશા આનંદના સ્વાદ સાથે પ્રગટ થાય છે. તે સમયની અવસ્થાને ધર્મધ્યાન પણ કહેવામાં આવે છે. આ સુખનો પ્રથમ કણકો છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. (૭) વસ્તુના સ્વરૂપની સમજણ વગર આત્મજ્ઞાન શક્ય નથી. અને મૂળ વસ્તુ તો આ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ છે અને એ એક જ જાણવા જેવો છે. ખરેખર બીજું કાંઈ પણ જાણવા-માનવા કે અનુભવવા જેવું નથી. બધું દુઃખરૂપ છે. સંપૂર્ણ શક્તિ – આ વર્તમાન જ્ઞાનની પર્યાય દ્રવ્યસ્વભાવ તરફ કેમ ઢળે એમાં જ લગાડવા સિવાય આ ભવમાં બીજું કાંઈપણ કરવાનું પ્રયોજન નથી. નહિ તો આ રત્નચિંતામણી જેવો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જશે. જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માનો (૧) પ્રમોદ (૨) પરિચય (૩) પ્રીતિ (૪) પ્રવૃત્તિ અને પ્રાપ્તિ કરવા જેવી છે. વસ્તુનું સ્વરૂપ જાણી – તેની પ્રતીતિ – લક્ષ કરી તેમાં એક સમય માટે એકાગ્ર થવાનું છે. બસ આ એક જ માર્ગ છે. (૧૦) આના સિવાય બીજું કાંઈપણ કરવા જેવું છે એમ માનવું એ વિપરીત માન્યતા છે, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. એ સૌથી મોટું પાપ છે અને સંસાર પરિભ્રમણ ને દુઃખનું કારણ છે. કોઈપણ રીતે આ મિથ્યાત્વ કેમ ટળે એ અભ્યાસ કરવા જેવો છે. (૧૧) જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે, જેવડો છે, જેમ કેવળી ભગવંતોએ પોતે જાણી-અનુભવી બતાવ્યો છે, તેને તેવો જ જાણી-માની અનુભવ કરવા જેવો છે. બસ આ જ કરવાનું છે. (૧૨) ટૂંકમાં કહીએ તો, “સ્વરૂપની સમજણ કરવા જેવી છે.' (૧૩) તે સ્વરૂપ સમજવાની પ્રક્રિયા આ પ્રમાણે છે. (૧) પાત્રતા (૨) અભ્યાસ (૩) યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) આત્માનુભૂતિ (૧૪) યથાર્થ નિર્ણયઃ “હું જ્ઞાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું.” ભેદજ્ઞાનઃ “હું સર્વથા સર્વથી ભિન્ન છું.” (૧૫) દરેક પ્રસંગે પ્રસંગે, પર્યાય પર્યાય, સમયે સમયે આ ભેદજ્ઞાન પૂર્વક સ્વભાવનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy