SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 88 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન - % (૩) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યાઃ (૧) સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યમ્રતીતિ થવી તે (સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે). “સમ્યક્દર્શન' છે. (૨) તે તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે “સમ્યકજ્ઞાન છે. (૩) ઉપાદેય તત્ત્વોનો અભ્યાસ થવો તે “સમ્યક ચારિત્ર' છે. શુદ્ધ આત્મસ્વરૂપ વીતરાગપદમાં સ્થિતિ થવી એ ત્રણેની એકતા છે. મોક્ષમાર્ગની આરાધના કરી શુદ્ધોપયોગરૂપે પરિણમી જવું એ જ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આત્માનુભૂતિ એ જ પ્રયોજન છે. (૪) આત્માનુભૂતિથી જ ધર્મની શરૂઆત થાય છે.... (૫) ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણરૂપ ધર્મ (૧) સર્વ શાસ્ત્રોનો સારઃ વીતરાગતા છે. જે વીતરાગતા શક્તિરૂપે સ્વભાવમાં છે તે પર્યાયમાં પ્રગટ થાય એ જ સારરૂપ છે. (૨) “વીતરાગ ચારિત્ર' એ જ સાક્ષાત ધર્મ થાય છે. (૩) ઉત્તમ ક્ષમાદિ આત્માના ચારિત્રગુણની દશ નિર્મળ પર્યાયો છે. (૧) ઉત્તમક્ષમા (૨) ઉત્તમ માર્દવ (મૃદતા-કોમળતા) (૩) ઉત્તમ આર્જવ (સરળતા) (૪) ઉત્તમ શૌચ (પવિત્રતા) (૫) ઉત્તમ સત્ય (ધર્મ) (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય (સ્વલીનતા) આ દસ આત્માના નિજ સ્વભાવ છે અને તેથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે નિર્મળ પર્યાય (એના વિરોધરૂપ ક્રોધાદિનો અભાવ) એજ ઉત્તમક્ષમાદિ દસ ધર્મ કહેવામાં આવ્યા છે. (૬) અહિંસા પરમોધર્મઃ આત્માની પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ ન થવી અથવા વીતરાગતાની ઉત્પત્તિ થવી એ જ નિશ્ચય અહિંસા છે. છ કાય જીવોની રક્ષાનો ભાવ એ વ્યવહાર અહિંસા છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમજવું. (૭) નવબોલ થી આત્માના કાર્યની સમજ (૧) આત્મા છે. (ચૈતન્ય અસ્તિત્વનો સ્વીકાર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy