________________
8 8 8 8 8 9 જૈન સનાતન વીતરાગ દર્શન - ---
જેવો વીતરાગ સ્વભાવ છે એવો પૂર્ણ વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે તે ધર્મની સાધનાની પૂર્ણાહુતિ છે – પૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ જતાં પછી અનંતકાળ સુધી એ સુખ પ્રગટ થયા જ કરે છે.
શુદ્ધાત્માના સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો – જે કહો તે એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે. તેનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ જ ધ્યેય છે.
ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશથી અને ધીરજથી ધખાવવી એ ધર્મના ધારક ધર્મી ધન્ય છે.”
“વસ્તુ વિચારતા થાવર્ત, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદન સુખ ઊપજે; અનુભવ થાકી નામ.”
આત્મભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે !' (૧૧) સપ્ત વ્યસન (દ્રવ્ય અને ભાવથી) (૧) જુગાર : રૂપીયાની હાર-જીત એને જુગાર કહે છે. અશુભ કર્મના
ઉદયમાં હાર અને શુભ કર્મના ઉદયમાં જીત માનવી એ
ભાવ જુગાર છે. (૨) માંસ ભક્ષણ : આહાર તરીકે ઈંડા-માંસ લેવા એ માંસભક્ષણ છે. નિજ
આત્માને ભૂલી જઈ.... શરીરમાં લીન થવું એ ભાવ
માંસભક્ષણ છે. મદ્યપાન ? બીયર, દારૂ, માદક પીણાના ગ્રહણને મદ્યપાન કહે છે.
મિથ્યાત્વથી મૂર્ણિત થઈને સ્વરૂપને ભૂલી જવું એ ભાવ
મદ્યપાન છે. (૪) શિકાર : પોતાના શોખ માટે બીજા પ્રાણીઓનો ઘાત કરવો એ
શિકાર છે. કઠોર પરિણામ રાખીને પ્રાણોનો ઘાત કરવો એ ભાવ
શિકાર છે. (૫) વેશ્ય સેવન : વેશ્યાનો સંગ કરી-સંભોગની પ્રવૃત્તિ એ વેશ્યસેવન છે.
કુધ્ધિના રસ્તે ચાલવું એ ભાવ વેશ્ય-સેવન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org