SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 91909 જૈન સનાતન વીતરાગ દર્શન (૭) સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય અને તે જ ખરું સુખ છે – એમ ન માનતા બાહ્ય વસ્તુઓથી, સગવડોથી સુખ મળી શકે છે એમ જીવ માને છે એ મોક્ષ તત્ત્વની ભૂલ છે. જીવની આ અનાદિની ભૂલોનું એ બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. આને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યામાન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે અને તેનું ફળ અનંત દુઃખ, સંસાર પરિભ્રમણ છે. (૩) મોક્ષનું સ્વરૂપ (૧) મોક્ષ એટલે દુઃખથી છુટકારો. ચાર ગતિના પરિભ્રમણમાંથી મુક્તિ.... (૨) મોક્ષ થતો નથી – મોક્ષ સમજાય છે. (૩) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. (૪) સુખ - એ કાંઈ વસ્તુને ભોગવવાથી નથી મળતું – એ તો અનુભૂતિનો વિષય છે. એક સમયની અનુભૂતિ એ નિશ્ચય સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે અને ત્યાંથી સુખની શરૂઆત થાય છે. ધર્મની શરૂઆત થાય છે. આ અનુભૂતિ આ કાળમાં કોઈપણ જીવ યથાર્થ પુરુષાર્થથી કરી શકે છે. અહિંસા પરમો ધર્મ છે. તે માત્ર વીતરાગભાવરૂપે જ છે. આત્મામાં મોહ અને રાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિ એ જ હિંસા છે અને એ ભાવોનો અભાવ અહિંસા છે એ પરમ ધર્મ છે. ધર્મ બહાર નથી. આત્માનો ધર્મ આત્મામાં જ પ્રગટ થાય છે. (૭) શુદ્ધોપયોગ જ ઉપાદેય છે. શુભ-અશુભ ઉપયોગ એ બંને બંધના કારણ છે. પુણ્યથી ધર્મ ન થાય, પુણ્ય કરતાં કરતાં ધર્મ ન થાય, રાગરૂપી વ્યવહારથી ધર્મ ન થાય. આત્માનું હિત ન થાય. (૮) જેવો વીતરાગભાવ સ્વભાવમાં શક્તિરૂપ પડેલો છે તેવો જ ભાવ પર્યાયમાં એક સમય માટે પ્રગટ થાય તેને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે - એ જ સુખની શરૂઆત છે. (૯) હવે આત્મામાં એ શુદ્ધોપયોગની લીનતા કરવામાં આવે તો બે ઘડીની Jain Education International . . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy