________________
જૈન સનાતન વીતરાગ દર્શન --- - (૧) રસ (૨) રંગ (૩) ગંધ (૪) સ્પર્શ. (૪) બધા દ્રવ્યોની જેમ હું પણ અનાદિનિધન એક સ્વતઃ સ્વતંત્ર સત્તાસ્વરૂપ
છું એ વાત સાત બોલથી સમજવી. (૧) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યમય સત્તા સ્વરૂપ છે. (૨) દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. (૩) અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. (૪) ગુણ-પર્યાયવાળી છે. (૫) તેનું સ્વ-પર પ્રકાશન જ્ઞાન અનેકાકારરૂપ એક છે. (૬) જીવ પદાર્થ આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે.
(૭) અનેક દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. (૬) જીવની અનાદિની ભૂલ (સાત તત્ત્વ સંબંધી) (૧) “શરીર તે હું છું એમ જીવ અનાદિથી માની રહ્યો છે. શરીર મારું છે અને
તેના કાર્યો હું “આત્મા’ કરી શકું આ એક મહાભ્રમ છે. આ જીવ તત્ત્વની
ભૂલ છે. જીવને અજીવ માને છે. (૨) શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના વિયોગથી જીવનું મરણ તે
માને છે. તેમાં અજીવને જીવ માને છે. આ અજીવતત્ત્વની ભૂલ છે. (૩) મિથ્યાત્વ-રાગાદિ પ્રગટ દુઃખ દેનાર છે, છતાં તેનું સેવન કરવામાં સુખ
માને છે. આ આસ્રવતત્ત્વની ભૂલ છે. (૪) શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે માને છે પણ તત્ત્વદૃષ્ટિએ
બંને બંધના કારણ છે, બંને સંસાર પરિભ્રમણના કારણ છે, નુકસાનકારક છે એમ તે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે. સમ્યજ્ઞાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવા છે એમ માને છે – તે સંવર તત્ત્વની
ભૂલ છે. (૬) શુભાશુભ ઈચ્છાઓને નહિ રોકતા, ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે ઈચ્છા કર્યા
કરે છે – ક્રોધ, માન, માયા, લોભ એ કષાયો થયા કરે છે એ નિર્જરાતત્ત્વની ભૂલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org