________________
૧દા છે.
(૩)
આ જ
89 ક જૈન સનાતન વીતરાગ દર્શન
બીજા દ્રવ્યની સત્તામાં કિંચિતમાત્ર પણ દખલગીરી કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એ વસ્તુની મર્યાદા છે.
એ જ રીતે પ્રત્યેક ગુણ અને ગુણની પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર છે. (૨) ક્રમબદ્ધ પરિણમન : દરેક દ્રવ્યની પ્રત્યેક ગુણની પર્યાયો થાય છે તે
પરિણમન ક્રમબદ્ધ છે. બધી જ પર્યાયો નિયત છે અને તેના સ્વકાળે જ પ્રગટ થાય છે. જે દ્રવ્યનું જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ ભગવંતોએ એમના જ્ઞાનમાં જાણ્યું છે તે જ પ્રમાણે તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે જ ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર પણ કાંઈ ફેરફાર કરી શકે નહિ. એવો અબાધા નિયમ છે. આ જે પરિણમન થઈ રહ્યું છે તે તે સમયની પર્યાયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે, પોતાના ષષ્કારકથી જ પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, તેનો હર્તા-કર્તા બીજો કોઈ નથી. દરેક પરિણમન વખતે કોઈને કોઈ
નિમિત્ત હાજર હોય જ છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી આવો નિયમ છે. (૪) આ સિદ્ધાંતો પરથી એ નક્કી થાય છે કે જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે
નીચે પ્રમાણે પાંચ સમવાય હોય જ છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ. આવી
વિશ્વની અનાદિ-અનંત સુંદર સ્વયં સંચાલિત વ્યવસ્થા જોવામાં આવે છે. (૫) આ વ્યવસ્થામાં જીવ દ્રવ્યનું સ્વરૂપ (૧) આ વિશ્વમાં જીવ દ્રવ્ય” પણ એક વસ્તુ છું. તેના છ સામાન્ય ગુણ આ
પ્રમાણે છે. (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુન્ત (૩) દ્રવ્યન્ત (૪) પ્રમેયત્ત્વ
(૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશત્વ.. (૨) જીવ દ્રવ્યના વિશેષ ગુણ નીચે પ્રમાણે છે.
(૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત વીર્ય (૪) અનંત સુખ (૩) હું ચેતના સ્વરૂપ હોવાથી બીજા અજીવ દ્રવ્યોથી ભિન્ન છું. પુદ્ગલ દ્રવ્ય અજીવ છે. તેના વિશેષ ગુણ આ છે. -
૩૧ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org