________________
% 88 89 9 જેને સનાતન વીતરાગ દર્શન આ------ (૯) જે સર્વજ્ઞતા સ્વીકારે છે તે આત્મજ્ઞ જ છે, કેમ કે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા
વગર હોતી નથી. (૧૦) જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધા દ્રવ્યોની અવસ્થા ક્રમબધ્ધ થાય છે તેનો નિર્ણય કર્યો
તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન થાય એ બને જ નહીં. (૧૧) “હું ચૈતન્ય છું” અને “સર્વથા સર્વથી ભિન્ન છું” એમ સ્વભાવમાં અહમ્પણું
આવતાં પરદ્રવ્ય ને રાગાદિનું અહપણું ટાળે છે. (૧૨) શુદ્ધ સ્વભાવના જ્ઞાન વિના અશુદ્ધતાનું યથાર્થ જ્ઞાન ન હોય. ઉપાદાનના આશ્ચર્ય
વિના નિમિત્તનું સત્ય જ્ઞાન ન હોય. (૧૩) પોતાના સ્વભાવની નિઃશંકતાથી કેવળજ્ઞાન થવાના કોલકરાર વર્તમાનમાં થઈ
શકે છે. (૧૪) જે શ્રુત (શાસ્ત્ર) વડે આત્મજ્ઞાન પામીને એકાવતારી થઈ શકાય એવું શ્રત આજે
પણ જયવંત વર્તે છે. (૧૫) હું શુદ્ધ ચિદ્રુપ છું – બસ આનાથી ઉત્તમ બીજું કોઈ સ્મરણ-રટણ નથી. (૧૬) જગતમાં પગલે-પગલે સાવધાન રહેવું, અહીંયા ધર્મમાં પર્યાય-પર્યાય-ભેદજ્ઞાન
કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org