________________
989 જેન સનાતન વીતરાગદર્શન સમ્યકજ્ઞાન... શાસ્ત્રનું ભણવું-ભણાવવું એ કાંઈ જ્ઞાન નથી. નિજનું જ્ઞાન... નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યફ આચરણ એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે વીતરાગી ચારિત્ર-ત્રિકાળી આનંદકંદના નાથમાં રમણતા-સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા તે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. સંપૂર્ણ અનુભવ સમયની વાત છે.
નિશ્ચિય રત્નત્રયાત્મક-આ ત્રણેને નિશ્ચય રત્નત્રય શબ્દ કહ્યો છે.
નિર્વિકલ્પ સમાધી” – અર્થાત્ શાંતી ઉત્પન્ન થવી. રાગ વિનાની શાંતિ નિશ્ચય રત્નત્રયનું પરિણામ એ સમાધિ છે. આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે, આત્મીક સુખ અને શાંતિની આ વાત છે. “વીતરાગ સહજાનંદ સુખાનુભૂતિ માત્ર’ જેમાં રાગરહિતસ્વાભાવીક આનંદરૂપ સુખ એનો અનુભવ આ નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ છે. “સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના આનંદના વેદન વડે-વીતરાગી સહજાનંદના સુખના વેદન વડે-“સ્વસંવેદ્ય પોતાથી વેદાવા યોગ્ય “ગમ્ય' છું – નિર્વિકલ્પ સમાધિથી પોતે પોતાથી પ્રત્યક્ષ થઈ શકે છે. સ્વસંવેધ અને પ્રાપ્ત થવા યોગ્ય છે. સ્વઆશ્રયે પોતે વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં, જે સ્વ પોતાનું વેદન જ્ઞાન-તેમાથી “આ આત્મા છે' એમ જણાય અને તેનાથી આત્મા પ્રાપ્ત થાય. એવા સ્વભાવથી અને શક્તિઓથી ભરેલી દશાવાળો આત્મા છું.
રાગઃ “રાગ' માં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ – દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને પારદ્રવ્ય તરફના વલણની દશારૂપ જે રાગ તેનાથી હું રહિત છું.
દ્વેષઃ પ્રતિકૂળતા પ્રત્યે અણગમો – હું એનાથી રહિત છું. મોટઃ પરતરફના વલણવાળી દશા, સાવધાની એનાથી હું રહિત છું. ક્રોધ-માન-માયા-લોભઃ રાગ અને દ્વેષની દશા તેનાથી હું રહિત છું.
પંચેન્દ્રિયના વિષય વ્યાપાર ઃ ઈન્દ્રિયથી ભગવાનને જોવા, ભગવાનની વાણી સાંભળવી-એ વિષયના વ્યાપારથી તો હું રહિત છું.
મન-વચન-કાયાના વ્યાપારઃ વાણીથી-દેહની કોઈ ક્રિયાથી કે વિચારથી જણાય) મળે એવો આત્મા નથી. અંતઃકરણ (દ્રવ્યમન) અને ભાવમન સંકલ્પ-વિકલ્પ-ભાવેન્દ્રિય એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે.
ભાવકર્મઃ પુણ્ય અને પાપ, દયા-દાન-વ્રત-દર્શન-પૂજા-ભક્તિના ભાવ એ બધા ભાવ કર્મ એટલે વિકલ્પની વૃતિ જે ઊઠે છે તે ભાવકર્મ એટલે વિકારી ભાવ. તેનાથી પ્રભુ ભિન્ન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org