________________
જૈન સનાતન વીતરાગ દર્શન
-
' હૈ- આHભાવના .
હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું. નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય ભરિતાવસ્થ છું.”
રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-માન-માયા-લોભ, પંચન્દ્રિય વિષય વ્યાપાર, મન-વચનકાયા વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભ, દૃષ્ટ શ્રુત અનુભૂત ભોગઆકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા ત્રણ શલ્ય આદિ સર્વ વિભાવ પરિણામ રહિત છું, શૂન્ય છું.”
“શુદ્ધ નિશ્ચયનયે હું આવો છું તથા ત્રણ લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે.”
એમ મન-વચન-કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી નિરંતર આ ભાવના કર્તવ્ય છે.
ભાવાર્થ “જ્ઞાનાનંદ સ્વભાવી છું જેનો “એક સ્વભાવ કે જેમાં ભેદ નહીં, રાગ તો નહીં પણ પર્યાયનો ભેદ પણ નહીં ગુણ-ગુણીના પણ ભેદ નહીં, પરિપૂર્ણ ગુણથી ભરેલી અભેદ ચીજ છું. સહજ-શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો હું છું, સહજ એટલે સ્વાભાવિક છે, કૃત્રિમ નથી. કોઈએ બનાવ્યો નથી. “નિર્વિકલ્પ છું’ - વિકલ્પ અર્થાત ભેદ જેમાં નથી એવો અભેદ નિર્વિકલ્પ સ્વરૂપ છું. એવી દૃષ્ટિ થવી – અંતરમાં પરિણમવું એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. એવા સ્વભાવની ભાવના ભાવવી એટલે વિકલ્પ કે ચિંતવન નહીં. ભાવના એટલે એવા સ્વભાવમાં એકાગ્ર થવું. આવા ભાવમાં હું આ છું” (એકાગ્રતા થઈ) “ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ઘારક ધર્મી ધન્ય છે !' “હું ઉદાસીન છું'. ઉદ+આસન - હું પર્યાયથી ઉદાસ છું. મારી બેઠક તો ધ્રુવ ઉપર છે. હું ત્રિકાળ એક સમયની પર્યાય જેવડો નથી. “હું નિજ નિરંજન' મારું જે અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ) શુદ્ધ આત્મા છું – મારા નાથને આવરણ નથી !
શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન” એવા શુદ્ધાત્માની સભ્યશ્રદ્ધા અનુભવની વાત છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાની અહીં વાત નથી. “શુદ્ધ આત્માનું સમ્યકજ્ઞાન આવા આત્માનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org.