________________
જે 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન -- -
આમ્રવને ઓળખી તેને દુઃખરૂપ જાણી હેય માનવો. રાગ-દ્વેષ મારા સ્વભાવમાં નથી, તો રોગરહિત ત્રિકાળ શુદ્ધ છું એમ શ્રદ્ધાન કરવું. બંધને ઓળખી તેને અહિત માનવું - હું અબંધસ્વરૂપ છું એમ શ્રદ્ધાન કરવું. સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો. ઘર્મની શરૂઆત સુખની શરૂઆત-આત્માનુભૂતિથી થાય છે એમ શ્રદ્ધાન કરવું. નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું. નિર્જરા સંવરપૂર્વક જ થાય છે એમ શ્રદ્ધાન કરવું. મોક્ષને ઓળખી તેને પોતાનું પરમહિત માનવું. હું મોક્ષસ્વરૂપ જ છું એમ શ્રદ્ધાન કરવું.
આ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે. (૧૨) મિથ્યાત્વ
કયાં કયાં ભ્રમણા છે? કયી માન્યતા તોડવાની છે? પાંચ પ્રકારની બુદ્ધિઓ જે ભ્રમરૂપ છે તે મિથ્યાત્વ છે. એમાં રાગની છે તે તોડવાની છે. તે આ પ્રમાણે છે :(૧) એકત્ત્વ બુદ્ધિ : હું અને સંયોગો (પર દ્રવ્યો) એક એવી અનાદિની
એકત્ત્વબુદ્ધિ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતાનું અસ્તિત્ત્વ
ટકાવીને પરિણમી રહ્યું છે આવી વસ્તુની મર્યાદા છે. (૨) મમત્ત બુદ્ધિ : પર દ્રવ્યો બધા પોતપોતાની રીતે જ્યાં છે તે પોતાની
. યોગ્યતા પ્રમાણે છે. પર દ્રવ્યો મારા છે. એવી મમત્વ
બુદ્ધિ. પર દ્રવ્યો મારા સુખ-દુઃખના કારણ છે એવી
મિથ્યા માન્યતા....એ બધું વ્યવહારથી કહેવાય છે. (૩) કર્તુત્વબુદ્ધિ : પર દ્રવ્યોનો કર્તા હું છું. દેહના કાર્ય હું કરી શકું છું.
બીજાને સુખી-દુઃખી કરી શકું છું. એવી મિથ્યા
કર્તબુદ્ધિ. (૪) ભોકતૃત્વ બુદ્ધિ : પર દ્રવ્યોને હું ભોગવી શકું છું એવી મિથ્યા ભોકતૃત્વ
બુદ્ધિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org