SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 84884 જૈન સનાતન વીતરાગ દર્શન 梁樂樂茶 પ્રથમ સાત તત્ત્વોના સ્વતંત્ર જ્ઞાન-શ્રદ્ધાન થવાં જોઈએ. પછી ભેદજ્ઞાન અને નિર્ણય કરતાં સ્વભાવના આશ્રયે એક સમયની વીતરાગતા પ્રગટ થાય છે તે આત્માનો અનુભવ નિશ્ચય સમ્યગ્દર્શન છે. પછી રાગાદિનું દૂર થવું તે યથાર્થ ચારિત્ર છે. જ્ઞાયક સ્વભાવમાં એકાગ્રતા - સ્થિરતા થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટે તે વીતરાગ-ચારિત્ર છે. શ્રાવકને બાર વ્રત પાળવાનો તથા મુનિને અઠ્યાવીસ મૂળ ગુણનું પાલન કરવાનો ભાવ-શુભભાવ છે, આસ્રવ તત્ત્વ છે, સરાગ ચારિત્ર છે. દરેક સમયે બધાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ, બધાનું સ્વતંત્ર ક્રમબદ્ધ પરિણમન, તેમની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી એવી રૂચિ-પ્રતીતિ... થતાં લક્ષ પોતાના સ્વભાવ તરફ વળે છે. પોતાના સ્વભાવની એકાગ્રતા થતાં – ધારાવાહી અભિપ્રાય એમ જ રહે એ બધાથી ભિન્ન હું ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ છું, જે જણાય છે, તે હું જ છું એવી અસ્તિત્ત્વની પ્રતીતિ રહેતાં વિકલ્પ છૂટી - નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. જડની ક્રિયાનો, કર્મના ઉદયનો, શુભાશુભ ભાવોનું સ્વતંત્ર પરિણમન છે – ત્યાં એ બધાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવ્યો છે એ બરાબર શ્રદ્ધામાં આવવું જોઈએ, ભાવભાસન થવું જોઈએ. સંપૂર્ણ પદ્ધતિ જ્ઞાન અને પ્રયોગની છે. પ્રયોગમાં આવ્યા વગર વર્તમાન જ્ઞાનની પર્યાય નિર્મળ થતી નથી. જેવો સ્વભાવ છે તેવી વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમય માટે વીતરાગરૂપે પરિણમે તો આત્માનો અનુભવ થાય છે તેને નિશ્ચય સમ્યગ્દર્શન-શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ સુખની પ્રાપ્તિ કહેવામાં આવે છે. ‘તત્ત્વાર્થ શ્રધ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્’ (સૂક્ષ્મ વાત) તત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો માત્ર નથી. પરંતુ ત્યાં તો એવો અભિપ્રાય છે કે જીવ-અજીવને ઓળખી પોતાને વા પરને જેમ છે તેમ શ્રદ્ધાન કરવું. હું જીવપણે છું અને અજીવપણે નથી એમ શ્રદ્ધાન કરવું. હું ચૈતન્ય માત્ર છું અને જડ સ્વરૂપ નથી એમ શ્રદ્ધાન કરવું. હું પોતાથી એકત્ત્વ છું અને પરથી ભિન્ન છું એમ શ્રદ્ધાન કરવું. ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy