________________
કીજ જેન સનાતન વીતરાગ દર્શન @
અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું અને પછી વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું કેમકે સામાન્યને જાણતાં જે જ્ઞાન થાય છે, જે
પોતાનું વિશેષ છે તેને, વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. (૧૦) એક ગ્લાયકભાવ-જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનમાત્ર વસ્તુ-શુદ્ધ જાણગ-જાણગ
જાણગસ્વભાવી જે આત્મા-તેમાં એકાગ્ર થવાથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. (૧) પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે – આત્મદ્રવ્ય. (૨) પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે - તેમાં જે જ્ઞાયક સ્વભાવ
તે ગુણી. (૩) એ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય મહાસ્વાદ લેવો તે પર્યાય
આ રીતે અનુભવમાં તેનો સ્વાદ લેતા દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય
નિર્મળ સિદ્ધ થાય છે. સારઃ ધર્મબુદ્ધિથી અભ્યાસ
(૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. (૨) સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, સામાયિક,
પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ, કેમકે તે ક્રિયાઓ
પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવ રૂપે હોય છે. (૩) શુભભાવને ધર્મ માનવો નહિ તેમજ તેનાથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું
નહિ; કેમકે તે વિકાર હોવાથી અનંત વીતરાગી દેવોએ તેને બંધનું કારણ
કહ્યું છે.
(૪) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્ત્વ હોય પછી વ્રત હોય.
હવે સમ્યકત્ત્વ તો સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન કરતાં થાય છે, માટે પ્રથમ સમ્યગ્દષ્ટિ થવું. “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ?' એવું જિનવચન હોવાથી માર્ગ તો એક જ છે, શુદ્ધ રત્નત્રય જ છે. નિજ પરમાત્માના સમ્યકજ્ઞાન-શ્રદ્ધાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. મોક્ષમાર્ગ ત્રણ લોક – ત્રણ કાળમાં એક જ છે.
૧૯ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org