________________
18% 8 * જૈન સનાતન વીતરાગ દર્શન
- (૪) હવે આ જે પરિણમન છે તે ક્રમબદ્ધ છે. વસ્તુનો પર્યાય ક્રમબદ્ધ જ થાય
છે. જેમ સર્વજ્ઞદેવે જાણ્યું તે જ પ્રમાણે દરેક પર્યાય નિયમથી એના સમયે થવાની જ. તેને નિવારી શકવા ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર, તીર્થકરદેવ કોઈપણ
સમર્થ નથી. (૫) હવે તે પર્યાય તેની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે ત્યારે
તેને અનુકૂળ નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી આવી ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા સર્વશે બતાવી છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં અનેકાનેક પ્રકારનો સહજ પ્રવર્તે છે. એ પ્રમાણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશમાત્ર પણ નથી. સૌ પોતપોતાના વિશેષરૂપે જ
સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે ઊખળ્યા કરે છે. આત્મા સામાન્ય-વિશેષરૂપ વસ્તુ છે. અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ તે સામાન્ય અને તે જ્ઞાનમાંથી સમયે સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. સામાન્ય પોતે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે, તે વિશેષ પર્યાયમાં જો સ્વરૂપની રુચિ-પ્રતીતિ-જિજ્ઞાસાલક્ષી-એકાગ્રતા કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે, અને જો તે વિશેષ પર્યાયમાં “રાગાદિ દેહાદિ તે હું એવી ઊંધી-રૂચી કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. જે તરફની ચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય છે. એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે. એમાં “અનુક્રમે કહ્યું ને? મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષોને જાણે છે, કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન હોય તો
વિશેષનું યથાર્થ જ્ઞાન થાય. (૮) અહીં પરને જાણવાની વાત લીધી નથી, કેમકે આત્મા જે પરને જાણે છે એ
ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. પરને જાણે છે એમ કહેવું
એ તો અસભૂત વ્યવહાર છે. (૯) ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહિ.
- ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org