________________
આ જૈન સનાતન વીતરાગ દર્શન : (૧) પ્રમાણઃ સાચા જ્ઞાનને-નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમ્યજ્ઞાનને પ્રમાણ કહે
છે. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાને) ગ્રહણ કરે છે – જાણે છે. નય પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે છે તેને ‘નય' કહે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલા અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે
પ્રમાણ સાક્ષેપરૂપ હોય છે. (૩) પ્રમાણ અને નય તે યુકિતનો વિષય છે. સન્શાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન
છે. આગમમાં જણાવેલા તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય નહિ, માટે યુક્તિદ્વારા નિર્ણય કરવો. સમ્યગ્દર્શન તે આંધળી શ્રદ્ધા સાથે એકરૂપ નથી, તેનો અધિકાર બહાર કે સ્વચ્છંદી નથી; તે યુક્તિપૂર્વકના જ્ઞાન સહિત હોય છે. જ્યાં સુધી સ્વરૂપની શંકા છે ત્યાં સુધી સાચી માન્યતા નથી. કોઈના ભરોસે વસ્તુ ગ્રહણ કરવાની
નથી. દરેક પોતે પોતાથી તેની પરીક્ષા કરી તેને માટે યત્ન કરવો જોઈએ. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ (૧) વીતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ
જાય છે, પાપભાવથી બચાવી પુણ્યભાવમાં લઈ જાય છે, તેનું દૃષ્ટાંત દ્રવ્યલિંગી મુની છે. તે ભગવાન કહેલાં વ્રત-નિયમ વગેરે નિરાતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી ગ્રેવયેકે જાય છે પણ તેનો સંસાર ઊભો રહે છે. ભગવાને કહેલો નિશ્ચય શુભ-અશુભ બંનેથી બચાવી જીવને શુદ્ધભાવમાંમોક્ષમાં-સુખ પ્રાપ્તિમાં લઈ જાય છે તેનું દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ છે કે જે નિયમો (ચોક્કસ) મોક્ષ પ્રાપ્તિ કરે છે.
(૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org