SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 09જેન સનાતન વીતરાગ દર્શન ------ બંધ-મોક્ષનો પર્યાય, સાધક દશાના ભંગ-ભેદ એ બધાને સમ્યજ્ઞાન જાણે છે. સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, તે જ મોક્ષનું પરમાર્થકારણ છે. પંચમહાવ્રતાદિ કે વિકલ્પને મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે, કેમ કે સાધક અવસ્થાનો જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષદશા પ્રગટે છે, એટલે તે પણ અભાવરૂપ કારણ છે માટે વ્યવહાર છે. ત્રિકાળી અખંડ વસ્તુ તે જ મોક્ષનું નિશ્ચયકારણ છે. પરમાર્થે વસ્તુમાં કારણ-કાર્યના ભેદ પણ નથી, કારણ-કાર્યના ભેદ પણ વ્યવહાર છે. એક અખંડ વસ્તુમાં કારણ-કાર્યના ભેદના વિચારથી વિકલ્પ આવે છે, તેથી તે પણ વ્યવહાર છે. છતાં વ્યવહારપણે કાર્ય-કારણના ભેદ સર્વથા જ ન હોય તો મોક્ષદશા પ્રગટાવવાનું પણ કહી શકાય નહિ, એટલે અવસ્થામાં સાધકસાધ્યના ભેદ છે પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ હોય નહિ કેમકે વ્યવહારના લક્ષમાં ભેદ આવે છે અને ભેદના લક્ષે પરમાર્થે અભેદ સ્વરૂપ લક્ષમાં આવતું નથી; તેથી સમ્યગ્દર્શનના લક્ષ્યમાં ભેદ આવતા નથી, એકરૂપ અભેદ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ભેદ દ્વારા વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવે છે, ભેદદ્વારા અભેદ આત્માને બતાવવો છે. આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદનેજ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ. માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. - ભેદના વિકલ્પ આવે ખરા છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી વિકલ્પને છોડીને નિર્વિકલ્પ જ્ઞાતાદૃષ્ટા નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે. (૭) સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વોને જાણવાનો ઉપાય प्रमाणनयैग्धिगमः । સમ્યગ્દર્શનાદિ રત્નત્રય અને જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયસ્થી થાય છે. Jain Education International. . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy