________________
8
8 જેને સનાતન વીતરાગ દર્શન --- (૫) તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. (૬) નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ-અનુભવ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે.
આત્માનો અનુભવ એ જ સમ્યગ્દર્શન છે. તે જ જૈન શાસન છે.
અભેદ દૃષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે. (૭) “તત્ત્વ' શબ્દનો મર્મ ‘તત્ત્વ' શબ્દનો અર્થ તપણું તે પણું થાય છે. દરેક
વસ્તુને - તત્ત્વને સ્વરૂપથી તપણું અને પરરૂપથી અતતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્ત્વપણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. જીવ ચેતન્યસ્વરૂપ હોવાથી જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ ય છે. તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. આવું ભેદજ્ઞાન એ સમ્યગ્દર્શનનો ઉપાય છે.
સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, તે એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપને જ) સ્વીકારે છે. પર્યાયને કે ગુણ-ગુણીના ભેદને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી.
એકલી વસ્તુનું જ્યારે લક્ષ કર્યું ત્યારે શ્રદ્ધા સમ્યક થઈ. તે વખતે થતું સમ્યકજ્ઞાન કેવું હોય છે?
જ્ઞાનનો સ્વભાવ સામાન્ય-વિશેષ સર્વેને જાણવાનો છે. જ્યારે જ્ઞાને (૧) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ દ્રવ્યને (૨) સમ્યગ્દર્શનરૂપ ઊઘડેલા પર્યાયને (૩) અવસ્થાની ઊણપને-વિકારને જેમ છે તેમ યથાર્થ જાણીને પરિપૂર્ણ સ્વભાવ તે હું, વિકાર રહ્યો તે હું નહિ એમ વિવેક કર્યો ત્યારે તે જ્ઞાન સમ્યક્ થયું છે.
સમ્યગ્દર્શનની સાથે જ રહેતું અવિનાભાવી સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહારને બંનેને બરાબર જાણીને વિવેક કરે છે. જો નિશ્ચય-વ્યવહાર બંનેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દૃષ્ટિ ખોટી પડે છે અને વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું પડે છે. સમ્યગ્દર્શનનો વિષય શું? મોક્ષનું પરમાર્થ કારણ કોણ?
સમ્યગ્દર્શનના વિષયમાં મોક્ષપર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી, દ્રવ્ય જ પરિપૂર્ણ છે તે સમ્યગ્દર્શનને માન્ય છે. બંધ-મોક્ષ પણ સમ્યગ્દર્શનને માન્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org