________________
*
@
જૈન સનાતન વીતરાગદર્શન @@ 1 ટે વીતરામ ઘણો સાર - 1 |
(૧) નિશ્ચયના ઉપાસક જીવની વ્યવહારશુદ્ધિ કેવી હોય? (૧) જે જીવ નિશ્ચયની ઉપાસના કરવા કટિબધ્ધ થયો છે તેની પરિણતિમાં પહેલાં
કરતાં વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. (૨) તેને પર્યાયમાં થતા દોષોનો ભય હોય, અકષાય સ્વભાવને સાધવા તૈયાર
થયો તેને કષાય શાંત થવા માંડે. (૩) તેની કોઈ પ્રવૃત્તિ-આચરણ કે ઈચ્છા એવી ન હોય કે રાગાદિનું પોષણ કરે. (૪) એકલું જ્ઞાન-જ્ઞાન (આત્મા-આત્મા-શુદ્ધ સ્વભાવ) કર્યા કરે પણ જ્ઞાનની
સાથે રાગની મંદતા હોવી જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ. (૫) રાગની મંદતાની સાથે-સાથે આકુળતા દિન-પ્રતિદિન શ્રદ્ધાના બળે ઘટતી
હોવી જોઈએ. નિરાકુળતા વધવી જોઈએ. ' (૬) બીજા સાધર્મીઓ પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું જોઈએ. (૭) નિયમિત શાસ્ત્ર-સ્વાધ્યાયનો મહાવરો હોવો જોઈએ. શાસ્ત્રના ન્યાયો સૂક્ષ્મ
જ્ઞાન પ્રજ્ઞા વડે ઉકેલાવવા જોઈએ. (૮) ખરેખર સાક્ષાત્ સમાગમની બલિહારી છે.
સત્સંગમાં અને સંત-ધર્માત્માની છત્રછાયામાં રહીને તેમના પવિત્ર જીવનને નજર સમક્ષ-ધ્યેયરૂપ રાખીને ચારે પડખેથી સર્વ પ્રકારે ઉદ્યમ કરીને પોતાની
પાત્રતાને પુષ્ટ કરવી જોઈએ. (૯) સ્ત્રી પાત્રતાનું લક્ષણ છે. પોતાના નિજ સ્વભાવની રૂચી દિવસે દિવસે
વધતી હોવી જોઈએ. ચારેકોરથી બધા પડખાંથી પાત્રતા કેળવવી જોઈએ. (૧૦) બસ! એક શાયકની જ આરાધના... બીજે ક્યાય મીઠાશ ન વર્તાવી જોઈએ. (૨) નિર્જરાનું સ્વરૂપ
(૧) પરિપૂર્ણ જ્ઞાન-અનંતજ્ઞાન અને અનંત સુખ તો મોક્ષ પ્રાપ્તિમાં છે. (૨) મોક્ષ એટલે જીવની સંપૂર્ણ શુદ્ધિ અને સત્તામાં રહેલ બધા કર્મોનો સંપૂર્ણતઃ
નાશ થવો. (૩) એ મોક્ષ પર્યાય સંવર-નિર્જરાપૂર્વક જ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org