________________
(૩)
* * * * * ( જેને સનાતન વીતરાગ દર્શન શશશુ (૯) (૧) સમ્યગ્દર્શનથી જે ધર્મની શરૂઆત થાય છે. (૨) સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, તપ, સામાયિક,
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન હોય નહિ કેમ કે તે ક્રિયાઓ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે, પણ અજ્ઞાની જીવ એમ માને છે કે તેનાથી ધર્મ થશે. પણ જ્ઞાનીઓને તે હેયબુદ્ધિએ હોવાથી, તેનાથી
ધર્મ થશે એમ તેઓ કદી માનતા નથી. (૪) આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ,
પણ તે શુભભાવને ધર્મ માનવો નહિ. તેમજ તેનાથી ધર્મ થશે એમ માનવું નહિ, કેમકે તે વિકાર હોવાથી અનંત વીતરાગી દેવોએ તેને બંધનું કારણ
કહ્યું છે. (૫) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય;
હવે સમ્યકત્વ તો સ્વ પરનું પ્રધાન થતાં થાય છે, માટે યથાર્થ પ્રધાન કરી
સમ્યગ્દષ્ટિ થવું. (૬) પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ,
નિરંતર તેમનો સમાગમ, સશાસ્ત્રનો ધર્મબુદ્ધિથી મધ્યસ્થભાવે અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભ ભાવો હોય છે.
પરંતુ પહેલાં ગુણસ્થાને સાચાં વ્રત-તપ વગેરે હોતાં નથી. (૧૦) આ સમ્યક્ત્વ પ્રગટ કરવાની પ્રક્રિયા આ પ્રમાણે છે.
(૧) પાત્રતા (૨) અભ્યાસ (૩) યથાર્થનિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) આત્માની અનુભૂતિ. (૧) પાત્રતામાં કષાયની મંદતા, માત્ર મોક્ષની અભિલાષા પ્રાણી દયા
જિતેન્દ્રયપણું, વિશાળબુદ્ધિ, સરળતા અને સૌથી પ્રથમ તત્ત્વની રૂચિ હોવી જોઈએ. અભ્યાસમાં મૂળભૂત જૈનદર્શનના પાયાના સિધ્ધાંત.. આગમના આધારે.. (અ) દ્રવ્યની સ્વતંત્રતાનો સિધ્ધાંત ઃ દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી
સ્વતંત્ર છે; એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org