________________
જ જૈન સનાતન વીતરાગ દર્શન કોઈ કહે કે આ તે વળી કેવી વાત? જેનમાં તો વળી આવી વાત હોય? આપણે જૈનમાં તો કંદમૂળ ન ખાવું, રાત્રે ચોવિહાર કરવો, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા, વ્રત કરવું તે સંવર, ને તપ કરવું તે નિર્જરા. અહીં કહે છે કે એ જેનધર્મ જ નથી. એ તો રાગની વિકાસની ક્રિયાઓ છે. વિકારથી નિર્વિકાર પર્યાય પ્રગટ ન થાય. અહીં તો ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવથી ભરેલો છે. એવું જેણે અંતર્મુખ થઈને પર્યાયમાં શ્રદ્ધા કરી આત્માનો અનુભવ કરવો તેને સર્વશદેવે વિશ્વધર્મ – જૈનધર્મ કહ્યો છે. બીજા કોઈ ધર્મ સાથે એનો મેળ નથી. ભાઈ બીજાને ઠીક લાગે કે ન લાગે, પણ વસ્તુ તો આજ છે. ભાઈ ! સનાતન જૈનદર્શન એ અનાદિ-અનંત છે. અનંતા તીર્થકરો, કેવળીઓ, ગણધરો, સંતો, મુનિવરો અને જ્ઞાનીઓ પોકાર કરીને કહી ગયા છે અનાદિકાલીન આજ મોક્ષનો માર્ગ છે. આજ સનાતન સત્ય દિગંબરદર્શન અર્થાત્ જૈનદર્શન છે. ભાઈ ! દિગંબર એ કોઈ વેશ કે વાડો નથી; એ તો વસ્તુનું સ્વરૂપ છે. દિગંબરત્વ એ કોઈ અદ્ભૂત અલૌકિક ચીજ છે ! વીતરાગતા કહો કે દિગંબરત્વ કહો, બંને એક જ છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જૈન પરમેશ્વર તો વ્યવહારથી પણ જૈન એને કહે છે જેને દેવ વીતરાગી ગુરૂ નિગ્રંથ વીતરાગી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગી જ હોય એવું વાસ્તવિક શ્રધાન છે. અંતરંગ જેનપણું તો અનુભવની દશા કોઈ અલૌકિક ચીજ છે. ભાઈ ! એ વાડાની ચીજ નથી. બહારથી શરીર પર વસ્ત્રનો ધાગો પણ રાખે અને અંતરંગમાં સૂક્ષ્મ વિકલ્પની લાગણી પણ પોતાની છે, ભલી છે એમ માને તે દિગંબર સાધુ નથી.
જ્યારે આ ક્ષેત્રમાં આદિનાથની કરીને મહાવીર પ્રભુ ચોથા કાળમાં હતા અને જે રીતે વીતરાગી ધર્મની પ્રરૂપણા ચાલતી હતી અને ભવ્ય જીવો મોક્ષ જતા હતા પૂર્ણ સુખની પ્રાપ્તિ કરતાં હતા એ ધર્મની આ વાત ચાલે છે. વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ વીસ વિહરમાન તીર્થકરો જે રીતે મોક્ષની પ્રરૂપણા કરી રહ્યા છે
એવા ધર્મની આ વાત છે. - ભાઈ ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન થયા પછી શ્રાવકધર્મ પ્રગટે ને મુનિધર્મ પ્રગટે એ તો મહા અલૌકિક વસ્તુ છે. જ્ઞાનને વસ્તુસ્થિતિ ભણી દોરી જવું એનું નામ ન્યાય છે અને ન્યાયથી વસ્તુને ગ્રહણ કરવી તે યથાર્થમાં જૈનદર્શન છે. સમકિત વિના જૈનપણું કોઈનેય હોતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org