SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સનાતન વીતરાગ દર્શન :-0-0---- (૩) નિયત : નિરંતર જેનો સ્વભાવ વધવું – ઘટવું છે એવા ઔપશમિક ' અને ક્ષાયોપથમિક ભાવ અને ક્ષાયિક ભાવરૂપ પર્યાયથી ભિન્ન. (૪) અવિશેષ : ગુણ-ગુણીના ભેદથી ભિન્ન (૫) અણ સંયુક્ત : રાગાદિ વિકારી પર્યાયોથી ભિન્ન આ પાંચ ભાવ સ્વરૂપ આત્માને શુધ્ધોપયોગ વડે દેખે છે, જાણે છે, અનુભવે છે એ શુધ્ધનય છે. એ ખરેખર સમસ્ત જિનશાસનનો અનુભવ છે. આ મોક્ષમાર્ગ છે આ જૈનમાર્ગ છે. વસ્તુ જે જ્ઞાયક સ્વરૂપ તેને જ્ઞાનમાં લઈ, અંતરમાં ધ્યાન કરે છે, તેને મનના વિકલ્પો, રાગાદિ વિશ્રામ પામે છે, હટી જાય છે. ત્યારે પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખ, અતિન્દ્રિય આનંદનો રસનો સ્વાદ આવે છે નિર્વિકલ્પ-વીતરાગી દશાનું પ્રગટપણે તેને અનુભવસ્વાનુભૂતિ અર્થાત જૈનશાસન કહે છે. આત્મપદાર્થનું વેદન-અનુભવ-પરિણતિ એ જૈનશાસન જૈનમત છે. (૬) જૈન કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. જૈન ધર્મ એ કાંઈ ક્રિયાકાંડ કે સંપ્રદાય નથી. વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરીને મોહ અને રાગ-દ્વેષને જીતવાં એનું નામ જેનધર્મ છે. જિન એટલે જિત્યાં. દયા, દાન, વ્રત, તપ, દર્શન, પૂજા, ભક્તિ એ બધા રાગાદિ – શુભ ભાવ છે. એનાથી ભગવાન આત્માની અનુભૂતિ ન થાય રાગથી વીતરાગતા ન પ્રગટે અથવા રાગ કરતાં કરતાં વીતરાગતા ન પ્રગટે, વ્યવહાર કે રાગ એ જૈનશાસન નથી. પૂર્ણ વીતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી સાધક દશામાં રાગ આવે છે ખરો, પણ એ જૈનધર્મ નથી. જેનશાસન એ તો શુધ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. સમ્યગ્દર્શનાદિ રત્નત્રય પરિણતિ એ શુધ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. શુભક્રિયા કરવી અને એ કરતાં કરતાં ધર્મ થઈ જશે એવી માન્યતા મિથ્યાભાવ છે. તથા જડક્રિયા અને શુભાશુભ રાગથી ભિન્ન અંતર આનંદકંદ ભગવાન આત્માને શેય બનાવી જ્ઞાયકના જ્ઞાનનું વેદન કરવું એ જૈનશાસન છે, ધર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy