________________
9998 જેને સનાતન વીતરાગ દર્શન
( 8 જિનશાસાણ - જિનઘર્મ . જો
જૈનશાસન એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરીને અજ્ઞાન
(મિથ્યાત્વ) (મોહ) અને રાગદ્વેષને જીતવા એનું નામ જૈન ધર્મ છે. (૨) જેવું આત્માનું અને બીજા પાંચેય દ્રવ્યોનું જે વીતરાગી ભગવંતોએ, દ્રવ્ય-ગુણ
પર્યાયાત્મક સ્વરૂપ બતાવ્યું છે, તે જેમ છે તેમ યથાર્થ સમજીને, તેમાં સ્વપર નું ભેદજ્ઞાન કરીને અંદર જે ધ્રુવ – જ્ઞાયકભાવ – ત્રિકાળ એકરૂપ દ્રવ્ય સ્વભાવ જે કદીય રાગરૂપ - જડરૂપ - મલિનતારૂપ થતો નથી એવા જ્ઞાયકનો પૂર્ણ આશ્રય કરી તેની સન્મુખ થઈને તેની રૂચી - પ્રતીતિ – જિજ્ઞાસા - લક્ષ - એકાગ્રતા - અનુભવ કરી, તેને જ્ઞાન અને દૃષ્ટિમાં લે તો પૂર્ણ નિર્મળ – વીતરાગ પર્યાય પ્રગટ થાય છે તે જિન – શાસન છે. ભગવાન આત્મા જે નિત્ય મુક્ત સ્વરૂપ-શુભાશુભભાવ રહિત ત્રિકાળ શુદ્ધ ચેતન્ય વસ્તુ છે એવા આત્માનો અભ્યતર જ્ઞાનથી (ભાવશ્રુત જ્ઞાનથી) અનુભવ કરવો એ અનુભવ શુદ્ધોપયોગ છે, એ એક સમયની વીતરાગી પર્યાય છે. રાગવિનાની વીતરાગ દશા-જેવો વીતરાગ સ્વભાવ છે એવી પર્યાયમાં પ્રગટ થવી એ જૈનશાસન છે અને
એ જ જૈનધર્મનું રહસ્ય છે. (૪) શુધ્ધોપયોગ વડે જિનસ્વરૂપ ભગવાન આત્માને જાણી – શ્રદ્ધાન કરી તેમાં રમણતા
કરવી - અનુભવવો એને ભગવાને જેનશાસન કહ્યું છે. સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્રાણી મોક્ષમાર્ગ ત્રણ લોક ત્રણ કાળમાં સુખી થવાનો આજ એક ઉપાય છે. સમયસાર” પરમાગમ - ગ્રંથાધિરાજ માં ધર્મ ધુરંધર, ધર્મના સ્થંભ ભાવલિંગી સંત શ્રી કુંદકુદ આચાર્ય દેવ ચૌદમી ગાથામાં કહે છે :અબઘુ સ્પષ્ટ, અનન્ય, ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુધનય તું જાણજે.” (૧) અબદધસ્કૃષ્ટ ઃ પર દ્રવ્યોથી આત્માની ભિન્નતા. (૨) અનન્ય : અનેક દ્રવ્ય પર્યાયોથી – નર – નારકાદિ પર્યાયોથી ભિન્ન
બતાડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org