SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ * જૈન સનાતન વીતરાગ દર્શન (૫) દેશના લબ્ધિ ઃ વળી તે જીવને સત્ય ઉપદેશનો લાભ મળ્યો છે. આવા નિમિત્તોનો સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે અને સત્ય તત્ત્વનો નિર્ણય કરવાનો ઉધમ તે પોતાનો વર્તમાન પુરુષાર્થ છે. નિમિત્ત તરીકે સત્ય ઉપદેશ મળવો જોઈએ. એમાં શું આવે? યથાર્થ મોક્ષમાર્ગ શું? નવ તત્ત્વોનું સ્વરૂપ શું? સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કેવા હોય? સ્વ અને પરનું ભેદજ્ઞાન, ઉપાદાન-નિમિત્ત બંનેની સ્વતંત્રતા, નિશ્ચય-વ્યવહાર, સમ્યગ્દર્શનાદિ હિતકારી ભાવો તથા મિથ્યાત્ત્વાદિ અહિતકારી ભાવો – એ બધાનો ઉપદેશ યથાર્થ મળ્યો છે. હવે નિર્ણય કરવાની જવાબદારી પોતાની છે. : (૬) તત્ત્વ નિર્ણયના ઉધમનો વિચાર ઃ જ્ઞાની પાસેથી યથાર્થ તત્ત્વોનો ઉપદેશ મળ્યા પછી પોતે સાવધાન થઈને તેનો વિચાર કરે છે. એમને એમ ઉપર ઉપરથી સાંભળી લેતો નથી, પણ બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને તેનો વિચાર કરે છે અને ઉપદેશ સાંભળતાં બહુમાન આવે છે કે ઃ અહો ! મને આ વાતની તો ખબર જ નથી, આવી વાત તો મેં પૂર્વે કદી સાંભળી જ નથી. આ જિજ્ઞાસુ જીવની લાયકાત! જેને પોતાના આત્માનું હિત કરવું હોય તે જગતનું જોવા રોકાય નહિ. તે આત્માના નિર્ણયનો વિચાર કરે છે. મેં ભ્રમથી રાગાદિને જ ધર્મ માન્યો હતો ને શરીરને મારું સ્વરૂપ માનીને તેમાં હું તન્મય થયો. આ શરીર તો જડ-અચેતન છે ને હું તો જ્ઞાનસ્વરૂપ છું. અહીં મને હિતના સર્વ નિમિત્તો મળ્યા છે માટે હું તત્ત્વને બરાબર સમજીને મારા આત્માનો ઉદ્ધાર કરું આમ વિચારી તત્ત્વનિર્ણયનો ઉધમ કરે છે. એટલે તેનો નિયમિત અભ્યાસ શરૂ થઈ જાય છે. સત્સંગ અને સ્વાધ્યાય આ બે બહુ જ વિશેષ પરિબળ છે. (૭) તત્ત્વ જ્ઞાનનો અભ્યાસ : અભ્યાસમાં ઉદ્દેશ એટલે કે નામ જાણે તથા લક્ષણ નિર્દેશ એટલે જેનું જે લક્ષણ હોય તે જાણે તથા પરીક્ષા દ્વારા વિચારીને નિર્ણય કરે. જીવ, અજીવ સાત તત્ત્વોને ભિન્ન ભિન્ન જાણે, તેમનાં લક્ષણ જાણે અને પરીક્ષા કરીને નિર્ણય કરે. જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કર્યો અને પછી અંતરમાં તેનો પોતે નિર્ણય કરે છે, વિવેકથી નિર્ણય કરે છે. તત્ત્વના ભાવો એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખીને નિર્ણય કરે. આ કયા દ્રવ્યની વાત છે, કયા ગુણની વાત છે. કયા ગુણની કઈ પર્યાયની વાત છે? બધા જ પડખાથી પોતાના ૧૭૧૮ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy