________________
જૈન સનાતન વીતરાગ દર્શન
હું સમ્યક્ત્વાન્મુખ મિથ્યાદષ્ટિ
(૧) કષાયની ઉપશાંતતા : ક્રોધ, માન, માયા અને લોભના પરિણામ શાંત થયા છે તે મંદકષાય છે. આત્માનું હિત કરવાની રુચિ, પ્રતીતિ અને જિજ્ઞાસા થઈ ત્યાં મંદકષાય થઈ જ ગયો. તીવ્ર વિષયકષાયના ભાવમાં ડૂબેલા જીવને તો આત્માના હિતનો વિચાર જ ઊગતો નથી.
RO
::
(૨) જ્ઞાનનો ક્ષયોપશમ : મંદકષાયથી જ્ઞાનાવરણાદિનો એવો ક્ષયોપશમ થયો છે કે તત્ત્વનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટી છે, એટલે વર્તમાનજ્ઞાનના પર્યાયની એવી યોગ્યતા તો થઈ છે કે તે તત્ત્વનિર્ણય કરી શકે પણ જેને આત્માના હિતની દરકાર નથી તે જીવ તત્ત્વનિર્ણયમાં પોતાની બુદ્ધિ જોડતો નથી ને બહારના વિષય-કષાયમાં જ પોતાની બુદ્ધિ લગાવે છે. (૩) મોહની મંદતા જે સમ્યક્ત્વ સન્મુખ છે તે જીવને દર્શનમોહ અને ચારિત્રમોહ બેની મંદતા થઈ છે. પોતાના ભાવમાં મિથ્યાત્ત્વાદિનો રસ ઘણો મંદ થઈ ગયો છે અને તત્ત્વના નિર્ણય તરફ ઝુકાવ થયો છે. સંસારના કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉધમી થયો છે. જેના હૃદયમાંથી સંસારનો રસ ઊડી ગયો છે અને જે આત્માના વિચારનો ઉધમ કરે છે કે ‘અરે ! મારે તો મારા આત્માનું સુધારવું છે. દુનિયા તો એમ ને એમ ચાલ્યા કરશે. દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે.’
:
-
(૪) સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા - તે જીવને બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા છે. તેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે ને સર્વજ્ઞ વીતરાગ દેવને જ માને છે. અરિહંત ભગવાનની વીતરાગી પ્રતિમા તે પણ દેવ છે. શાસ્ત્રમાં નવ દેવ પૂજ્ય કહ્યા છે ઃ પંચ પરમેષ્ઠી, જિનધર્મ, જિનવાણી, જિન ચૈત્યાલય અને જિનબિંબ – એ નવને દેવ તરીકે પૂજે છે. એટલે દર્શન, પૂજા ને ભક્તિ વગેરે કરે છે. સર્વશ વીતરાગદેવને ઓળખે તેમજ દિગંબર સંત ભાવલિંગી મુનિ મળે તે ગુરુ છે તેમજ કોઈ જ્ઞાની સત્પુરુષ નિમિત્ત તરીકે મળે તે પણ જ્ઞાનગુરુ છે. પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. સમ્યક્ત્ત્વસન્મુખ જીવને કુદેવાદિની પરંપરા છોડીને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પરંપરા મળી છે. પણ નિશ્ચય ગુરુ તો પોતાનો આત્મા જ છે.
૧૭૦
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org |