________________
989 જેન સનાતન વીતરાગ દર્શન
'નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્ઠાપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપ નિજ ભગવાન આત્માનો મહિમા લાવી તેમાં પ્રવર્તવું યુક્ત છે.
(સઘળો ય વ્યવહાર પરાશ્રયી છે માટે છોડવા યોગ્ય છે). (૧૦) શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગ
અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો અને જ્યાં સુધી શુદ્ધોપયોગ પ્રગટ ન થાય ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં પ્રવર્તવું કારણ કે શુભોપયોગની અપેક્ષાએ અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે – છતાંપણ એ શુભોપયોગ કરવા જેવો નથી એ માન્યતા છૂટવી ન જોઈએ. તત્ત્વનનો અભ્યાસ, તત્ત્વનું ચિંતન, તત્ત્વનો વિચાર, તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાન એ બધું વિકલ્પરૂપ જ છે તેનો અભાવ થતાં નિર્વિકલ્પ આત્માનુભૂતિ થાય છે.
(બધાને ભૂમિકાનુસાર શુભાશુભ ભાવો આવે છે અને એ પ્રમાણે મન-વચન-કાયાની પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે પણ એનાથી ઘર્મ થાય એમ માનવું નહિ. માન્યતાના દોષમાં જ્ઞાની એમ માને છે એનાથી ઘર્મ-આત્માનું હિત થાય નહિ – અજ્ઞાની એમ માને છે એનાથી ધર્મ-આત્માનું હિત થાય. નિશ્ચયથી સુખની અનુભૂતિ થાય – વ્યવહારથી આત્માની અનુભૂતિ ન થાય.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org