________________
888
જૈન સનાતન વીતરાગ દર્શન
*
(૩) દરેક દ્રવ્યનું પરિણમન તેની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે, ત્યારે કોઈપણ નિમિત્તની હાજરી હોય છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આ સિદ્ધાંતોને પાંચ સમવાયથી સમજાવવામાં આવે છે. કોઈપણ કાર્ય નિષ્પન્ન થાય ત્યારે આ પાંચેય સમવાયો સાથે હોય છે.
(૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ. (૯) આ સંપૂર્ણ વ્યવસ્થામાં મોક્ષમાર્ગની વ્યવસ્થા આ પ્રમાણે છે. સમ્યગ્નાન-દર્શનચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ મોક્ષમાર્ગ ચૌદ ગુણસ્થાનકના ક્રમથી સમજાવવામાં આવ્યો છે. મોક્ષમાર્ગ ત્રણ લોક ત્રણ કાળમાં એક જ છે તેની પપણા નિશ્ચય અને વ્યવહારથી એમ બે પ્રકારે કરવામાં આવી છે એનું યથાર્થ જ્ઞાન કરવું જરૂરી છે. મોક્ષમાર્ગના નિમિત્ત દેવ-ગુરુ-શાસ્ત્ર છે.
(૧૦) આ સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રક્રિયા નીચે પ્રમાણે કરી શકાય.
(૧) પાત્રતા (૨) અભ્યાસ સત્સંગ અને સ્વાધ્યાય (૩) યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ.
સાર ઃ યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત-નિયમ-તપ-ત્યાગ-વૈરાગ્ય-ભક્તિ-શાસ્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એકપણ ભવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. વીતરાગ સર્વજ્ઞે સ્વયં પ્રત્યક્ષ જાણીને ઉપદેશેલું વસ્તુવિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. તે વિશાળ વસ્તુવિજ્ઞાનના રહસ્યભૂત સાર આ પ્રમાણે છે.
‘વિશ્વનો દરેકે દરેક પદાર્થ સામાન્ય-વિશેષાત્મક એટલે દ્રવ્ય-પર્યાયાત્મક છે. સામાન્ય પોતે જ ક્રમબદ્ધ વિશેષરૂપે ઊખળે છે પરિણમે છે. વિશેષરૂપ પરિણમવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્તમાત્ર સહાય ની જરૂર નથી. પદાર્થમાત્ર નિરપેક્ષ છે.’
આમ, સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી – પ્રકાશ છે, અકસ્માત
નથી ન્યાય છે. નિમિત્ત-નૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશમાત્ર પણ નથી. સૌ પોતપોતાના વિશેષોરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે પરિણમ્યા જ કરે છે.
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org