SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩) છે કે જેને સનાતન વીતરાગદર્શન ---- (૨) પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધર્મધારક વ્યવહારાભાસીઃ વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે, તેઓ જેમ શાસ્ત્રોમાં આજ્ઞા છે તેમ માને છે, પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી; જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વ મતવાળા પોતપોતાના શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી જિનઆજ્ઞા માનવી યોગ્ય છે. જૈનધર્મમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, ત્યાં સત્યદેવદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેને યથાર્થ જાણતા સમ્યજ્ઞાન થાય છે, તથા ખરેખરા રાગાદિક મટતાં સમ્યક્યારિત્ર થાય છે. હવે તેના સ્વરૂપનું જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે, એ જ જૈનમતનું સાચું લક્ષણ છે. એ લક્ષણને ઓળખીને જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે, પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે છે, તે મિથ્યાદષ્ટિ જ રહે છે. સાંસારિક પ્રયોજન અર્થે ઘર્મધારક વ્યવહારાભાસી : જે જીવ આજીવિકા અર્થે, મોટાઈ માટે, વા કોઈ વિષય-કષાય સંબંધી પ્રયોજન વિચારી કપટથી જૈને થાય છે તે તો પાપી જ છે; કારણ કે – અતિ તીવ્રકષાય થતાં જ એવી બુદ્ધિ થાય છે, તેમનું સુલઝવું પણ કઠણ છે. જૈનધર્મ તો સંસારનાશના અર્થે સેવવામાં આવે છે, જે એ વડે સાંસારિક પ્રયોજન સાધવા ઈચ્છે છે તે મોટો અન્યાય કરે છે તે તો મિથ્યાદષ્ટિ જ છે. ધર્મબુદ્ધિથી ઘર્મધારક વ્યવહારાભાસી વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચિયધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે; અર્થાત્ માત્ર વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ જાણી તેનું સાધન કરે છે. શાસ્ત્રમાં દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યકત્ત્વ હોવું કહ્યું છે, એવી આજ્ઞા માની અરહંત દેવ, નિગ્રંથગુરુ તથા જૈન શાસ્ત્ર વિના બીજાઓને નમસ્કારાદિ કરવાનો ત્યાગ કર્યો છે, પરંતુ તેના ગુણ-અવગુણની પરીક્ષા કરતા નથી અથવા પરીક્ષા પણ જો કરે છે તો તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્ય લક્ષણો વડે પરીક્ષા કરે છે અને એવી પ્રતીતિવડે તેઓ સુદેવગુરુ શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે, પણ દેવ-ગુરુ-શાસ્ત્ર ભક્તિનું અન્યથા સ્વરૂપ માને છે તે મિથ્યાષ્ટિી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy