________________
૪ જી જૈન સનાતન વીતરાગ દર્શન વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિ હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએ. (૧) જે જીવો કુળ પ્રવૃત્તિ વડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન
કરે છે, તેમને તો ધર્મદષ્ટિ જ નથી.. (૨) જો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાંય છે, દૃષ્ટિ ફર્યા કરે છે તથા મુખેથી પાઠાદિક
વા નમસ્કારાદિક કરે છે; પરંતુ તે ઠીક નથી. તેમને “હું કોણ છું, કોની સ્તુતિ કરું છું; શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ છે? એ
આદિનું કાંઈ ભાન નથી. લગભગ બધું યંત્રવત્ જડની જેમ થાય છે. (૩) કદાચિત્ કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવ-ગુરુ
શાસ્ત્રાદિમાં અને કુદેવ-ગુરુ-શાસ્ત્રાદિમાં વિશેષતાની પિછાણ નથી. (૪) વળી તે દાન આપે છે તો પાત્રતા-અપાત્રતાના વિચારરહિત જેમ પોતાની પ્રશંસા
થાય તેમ આપે છે. (૫) તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહતપણું થાય તે કાર્ય કરે છે, પણ
પરિણામોની પિછાણ નથી. વ્રતાદિક ધારે છે તો બાહ્યક્રિયા ઉપર જ દૃષ્ટિ છે, તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિક ભાવ થાય છે તેનો તો વિચાર જ
નથી; અથવા તો બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે. (૭) વળી પૂજા–પ્રભાવાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય ના
વિષય કષાય પોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણા હિંસાદિક ઉપજાવે છે. વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે, સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે, તેને પોતાના અંતરંગમાં અવધારતો નથી. ઈત્યાદિક ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી. પણ એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યા છે, વળી ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે; પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે – અહીં અપરાધ કેટલો થાય છે અને ગુણ કેટલો થાય છે, એ પ્રમાણે નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી.
(૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org