SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ દર્શન @ ઉપાય પોતે સ્વતંત્ર કરી શકે છે એમ નક્કી થાય. (૨) વળી તે રાગાદિ ભાવો જીવ અને કર્મ પ્રકૃતિ બંનેનું પણ કર્તવ્ય નથી. જીવ અને જડ બંને ભેગા થઈને રાગાદિ ભાવો કરે છે એમ પણ નથી. આત્મા પોતે પોતાના અપરાધથી ક્રોધાદિ વિકારી ભાવો કરે છે. એમાં કર્મ નિમિત્ત છે; પણ ખરેખર બંને ભેગાં થઈને રાગાદિભાવો કરતાં નથી. બંને ભેગા થઈને જો રાગાદિભાવો કરે તો તે ભાવ કર્મનું ફળ જે સુખ-દુઃખાદિ છે તે કર્મને પણ ભોગવવું પડે પણ એમ બનતું નથી. અન્યમતી માને છે કે ઈશ્વર કર્તા છે અને કોઈ જેની એમ માને કે કર્મના કારણે વિકાર થાય છે, તો બંનેની એક જાતની માન્યતા થઈ, તેથી તે મિથ્યાદષ્ટિ છે. તેને જેન વીતરાગમાર્ગની ખબર નથી. રાગાદિક ભાવ જીવના અસ્તિત્વમાં છે છતાં જે રાગાદિભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અર્તા માને છે, તે કર્તા તો પોતે છે. પરંતુ પોતાને નિરુધમી બની પ્રમાદી રહેવું છે, તેથી કર્મનો જ દોષ ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે. (૩) સમયસારાદિ ગ્રંથો વાંચે એટલે કર્મ આત્માને રાગ કરાવે છે. એમ તો કહી શકે નહિ, પણ કર્મના નિમિત્ત વિના કોઈને કાંઈ રાગ થતો નથી. માટે કર્મની અસર પડે છે, નિમિત્તનો પ્રભાવ પડે છે એમ તો હોવું જોઈએ-એમ કેટલાક માને છે. પરંતુ જીવને એક સમય પણ પરનો પ્રભાવ જો માનવામાં આવ્યો તો તેને સદાય માટે – કોઈ વખત કર્મના ઉદયવિના રહેતો નથી માટે ત્રિકાળ કર્મનો પ્રભાવ થયો એટલે કે એને કદીપણ પુરુષાર્થ કરવાનો વખત રહેતો નથી. તેથી તે સ્વચ્છંદી બની ચારગતિરૂપ સંસારમાં રખડે છે. સમયસાર નાટકના બંધ અધિકારમાં તથા ઈષ્ટ ઉપદેશમાં આવે છે કે કર્મનું બળવાનપણું છે. કોઈ વખત આત્માનું બળવાનપણું છે અને કોઈ વખત કર્મનું બળવાનપણું છે; પણ એનો અર્થ એવો છે કે જ્યારે સ્વભાવને ચૂકીને રાગાદિભાવ કરે છે ત્યારે કર્મોનું બળવાનપણું કહેવાય છે. કર્મ બળવાનપણે રાગાદિ કરાવતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy