________________
જ જેનસનાતન વીતરાગ દર્શન અચેતન અને મૂર્તિક હોય, પણ તે રાગાદિભાવો તો પ્રત્યક્ષ અમૂર્તિક જણાય છે; માટે સિદ્ધ થાય છે કે એ આત્માના જ ભાવો છે.
શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહેલ છે તેનો આશયઃ ક્રોધાદિ જે થાય છે તે પાધિક ભાવો છે. તે આત્માની ભૂમિકામાં થાય છે, કેમ કે તે ચેતનનો આભાસ છે, અચેતન મૂર્તિક જડના તે નથી. શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહેલ છે એ તો વિકાર આત્માનો સ્વભાવ નથી એમ બતાવવા તથા વિકાર નીકળી જાય છે એમ બતાવવા માટે તેને પુદ્ગલજન્ય કહેલ છે. પણ પ્રથમ આત્મામાં પોતાના કારણે વિકાર થાય છે એમ માને, પછી આત્માનો તે સ્વભાવ નથી એવી સ્વભાવદૃષ્ટિ કરવા માટે અને વિકાર કાઢી નાખવા માટે તે પુદ્ગલનો વિકાર છે એમ કહેલ છે. - એ રાગાદિરૂપ ભાવકર્મ કોઈએ નથી કર્યા એમ નથી કેમ કે એ કાર્યભૂત છે. રાગાદિ આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી પણ પર્યાયમાં નવા નવા ભાવો જીવ પોતે કરે છે, થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં ઔદયિકભાવને જીવનું સ્વતત્વ કહેલ છે. એટલે કે આત્માનું તે કાર્ય છે, તેનો કર્તા આત્મા છે, માટે રાગાદિભાવો કાર્ય નથી – એમ નથી અને એને કોઈએ કર્યા નથી એમ પણ નથી. વિભાવભાવના
નાશનો ઉધમ કરવો યોગ્ય છે. (૪) હવે એ વિકાર નિમિત્તના કારણે (કર્મના કારણે) થાય છે એમ કોઈ માને તો તે
મિથ્યાષ્ટિ છે. (૧) રાગાદિ એકલી કર્મપ્રકૃતિનું પણ કાર્ય નથી, કારણ કે કર્મ તો અચેતન જડ
છે. અને વિકારી ભાવો ચેતન છે. માટે તે ભાવોનો કર્તા જીવ પોતે જ છે. રાગાદિક જીવનું જ કર્મ છે; કારણ કે ભાવકર્મ તો ચેતનના અનુસારી છે, ચેતનાવિના હોય નહિ, તથા પુદ્ગલ જ્ઞાતા નથી. આત્માની રાગાદિ પર્યાય અને કર્મ અચેતન પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. કર્મની પર્યાયના કારણે આત્માના વિકારી ભાવો થતા નથી એમ સમજવું જોઈએ. આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને રાગાદિ પરિણામ કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરીને સ્વરૂપમાં લીન થાય તો રાગાદિભાવો થતાં નથી એમ જાણવું. જો વિકારને સ્વતંત્ર માને તો તેનો નાશ કરવાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org