________________
8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
પારિણામિક ભાવ
પરિણામ, પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ. પ્રશ્ન ઃ પરિણામ એટલે શું?
:
ઉત્તર ઃ સમયસારમાં ૪૭ શક્તિનું વર્ણન છે. તેમાં પરિણામ શક્તિ છે. પરિણામ એટલે અસ્તિત્ત્વ ટકાવીને બદલવું. પરિણામને પ્રમાણ દૃષ્ટિથી જુઓ તો ઉત્પાદ-વ્યય અને ધ્રોવ્યરૂપે છે. તે જ પરિણામને પર્યાયાર્થિક નયથી જુઓ તો ઉત્પાદ-વ્યય રૂપે છે. તે જ પરિણામને દ્રવ્યાર્થિક નયથી જુઓ તો ધ્રોવ્યરૂપે છે.
જેમ ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે તેમ પરિણામ એ વસ્તુનો સ્વભાવ છે. પરિણામને કર્મ નિરપેક્ષથી જોઈએ તો માત્ર ઉત્પાદ-વ્યય રૂપે છે. તે જ પરિણામને કર્મ સાપેક્ષથી જુઓ તો શુભ-અશુભ અને શુદ્ધ ઈત્યાદી વિભાવરૂપ છે. રાગ ઉપાધિ છે, પરિણામ ઉપાધિ નથી.
પારિણામિક ભાવ : ‘રામે ભવ: પરિગામિઃ।'
ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યની એકતારૂપ પરિણામમય ભાવ તે પારિણામિક ભાવ. પારિણામિક ભાવ સત્, અહેતુક અને નિરપેક્ષ છે. દ્રવ્યનું અસ્તિત્ત્વ તે પારિણામિક ભાવ છે.
૧.
પારિણામિક ભાવને પ્રમાણદૃષ્ટિથી જોતાં તે ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે. પારિણામિક ભાવને પર્યાયાર્થિક નયથી જોતાં તે ઉત્પાદવ્યય રૂપે છે.
૨.
૩. પારિણામિક ભાવને દ્રવ્યાર્થિકનયથી જોતાં પરમપારિણામિક ભાવ અર્થાત્ ધ્રોવ્યરૂપ છે.
જ્યારે પારિણામિક ભાવને કર્મ-નિરપેક્ષ જુઓ તો ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય આખું પ્રમાણનું દ્રવ્ય ખ્યાલમાં આવે છે, અને પારિણામિક ભાવને ઉત્પાદ-વ્યય નિરપેક્ષ જુઓ તો પરમપારિણામિક ભાવ ખ્યાલમાં આવે છે, જે દ્રવ્યદૃષ્ટિનો વિષય છે.
પારિણામિક ભાવ : ‘પારિણામિક’ એટલે સહજ સ્વભાવ; ઉત્પાદ-વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદિયક, ઔપશમિક, ક્ષાયોપમિક અને ક્ષાયિક એ ચાર ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિક ભાવ છે. ‘પારિણામિક' કહેતાં જ ‘પરિણમે છે' એવો ધ્વનિ આવે છે. પરિણમે છે એટલે દ્રવ્ય-ગુણનું નિત્ય વર્તમાનરૂપ નિરપેક્ષપણું છે,
૧૫૧
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org