SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 888 જૈન સનાતન વીતરાગદર્શન * (૭) આ ચોથા ગુણસ્થાનથી સિદ્ધદશા |(૭) આ માત્ર સાધકદશામાં જ જોવામાં આવે સુધી વિદ્યમાન છે. છે, સિદ્ધ દશામાં આનો સદ્ભાવ નથી. (૮) આની નકલ કરવી સંભવ નહી (૮) આની નકલ કરવી સંભવ હોવાથી હોવાથી આ મિથ્યાષ્ટિ જીવોમાં આ ધૂળરૂપે મિથ્યાજ્ઞાનીઓમાં જોવામાં ક્યારેય પણ જોવામાં આવતો નથી. આવે છે. (૯) આ આનંદમય હોવાને કારણે |(૯) આ દુઃખરૂપ હોવાને કારણે હેય છે. કથચિંત ઉપાદેય છે. (૧૦) આ અંતરાત્મા અને પરમાત્મામાં (૧૦) આ પરમાત્મામાં નથી હોતો. જોવામાં આવે છે. અંતરાત્મામાં જોવામાં આવે છે તથા નકલરૂપમાં બહિરાત્મામાં પણ જોવામાં આવે છે. શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક થયાં? ઔદયિક, ઔપથમિક, લાયોપથમિક કે ક્ષાયિકભાવ એ કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી કેમકે તે બધા ભાવ પર્યાય છે. સમ્યગ્દર્શનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, પર્યાયને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી. એકલી વસ્તુનું જ્યારે લક્ષ અને એકાગ્રતા કરી ત્યારે આત્માનો અનુભવ થતાં શ્રદ્ધા સમ્યફ થઈ. , પ્રશ્ન : તે વખતે થતું સમ્યજ્ઞાન કેવું હોય છે? ઉત્તર : જ્ઞાનનો સ્વભાવ સામાન્ય-વિશેષ સર્વને જાણવાનો છે. જ્યારે જ્ઞાને આખા દ્રવ્યને, ઊઘડેલા પર્યાયને અને વિકારને જેમ છે તેમ જાણીને, “પરિપૂર્ણ સ્વભાવ તે હું, વિકાર રહ્યો તે હું નહિ' એમ વિવેક (ભેદજ્ઞાન) કર્યો ત્યારે તે સમ્યક થયું છે. સમ્યજ્ઞાન.... (૧) સમ્યગ્દર્શન રૂપ ઊઘડેલા પર્યાયને. (૨) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુને....અને (૩) અવસ્થાની ઊણપને – એ ત્રણેને જેમ છે તેમ જાણે છે. અવસ્થાનો સ્વીકાર જ્ઞાનમાં છે. આ રીતે સમ્યગ્દર્શન તો એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપનેજ) સ્વીકારે છે, અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી સાથે જ રહેતું) સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બંનેને બરાબર જાણી વિવેક કરે છે. - ૧૪૯ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy