________________
9898% જેન સનાતન વીતરાગ દર્શન -૧૮ —– (ડ. વીતરામ શાસનનો લય વિભાગ :.
નયના બે પ્રકાર છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક
દ્રવ્યાર્થિક ઃ જે દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યને મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે. તેનો વિષય ત્રિકાળી ધ્રુવ છે.
પર્યયાર્થિક ઃ જે પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે તેનો વિષય ક્ષણિક પર્યાય છે.
દ્રવ્યાર્થિક નયના બીજા નામો : નિશ્ચય, શુદ્ધ, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, સ્વાલંબી, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી ધ્રુવ, અભેદ, સ્વલક્ષી.
પર્યાયાર્થિક નયના બીજા નામો ઃ વ્યવહાર, અશુદ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ અભૂતાર્થ, પરાલંબી, પરાશ્રિત, પરતંત્ર, નિમિત્તાધીન, ક્ષણિક, ઉત્પન્ન ધ્વસિ, ભેદ, અને પરલક્ષી, જ્ઞાન બંને નયોનું કરવું પણ તેમાં પરમાર્થે આદરણીય નિશ્ચયનય છે – એમ શ્રદ્ધા કરવી.
નિશ્ચયનય : સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવાં જ શ્રદ્ધાનથી સમ્યક્ત્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું.
નિશ્ચય નય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમજ કહેવું તે માટે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તો, “સત્યાર્થ એમ જ છે' એમ જાણવું અને માનવું.
વ્યવહારનય : સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે તેથી એવાં જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, માટે તેનો ત્યાગ કરવો.
વ્યવહારનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય - જેમકે “ઘીનો ઘડો ઘડો તે ઘી નો નથી પણ માટીનો છે, છતાં ઘી અને ઘડો બંને એક જગ્યાએ રહેલાં છે તેટલું બતાવવા તેને “ઘીનો ઘડો’ કહેવામાં આવે છે; એ રીતે જ્યાં વ્યવહારનયથી કથન હોય ત્યાં “ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તે કથન છે' એમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org