SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન વ્યવહાર અને નિશ્ચય બંને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે' એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહાર કથનને સત્યાર્થ ન જાણવું, પણ નિમિત્તાદ બતાવનારું તે કથન છે એમ સમજવું. આ પ્રમાણે બંને નયોના કથનનો અર્થ કરવો તે બંને નયોનું ગ્રહણ છે. બંનેને આદરવાલાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થને જ આદરવાલાયક ગણવું જોઈએ. વ્યવહાર અને નિશ્ચયનું ફળ ઃ વીતરાગે કરેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; તેનું દૃષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે. તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી ત્રૈવેયકે જાય છે, પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય શુભ-અશુભ બંનેથી બચાવી જીવને શુદ્ધભાવમાં મોક્ષમાં લઈ જાય છે, તેનું દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ છે જે નિયમા (ચોક્કસ) મોક્ષ પ્રાપ્ત કરે છે. નિશ્ચયાભાસીનું સ્વરૂપ : જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે - તે નિશ્ચયાભાસી છે, તેને શુષ્કજ્ઞાની પણ કહેવામાં આવે છે. વ્યવહારાભાસીનું સ્વરૂપ : જીવને શુભભાવથી ધર્મ થાય એમ સ્વીકારે, પણ જીવના ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે, તે વ્યવહારાભાસી છે; તેને ક્રિયાજડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને તે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર છે. આગમનો પ્રથમ અભ્યાસ કરતાં નયોનું જે જ્ઞાન થાય તે રાગસહિત નય છે; ત્યાં તે રાગ હોવા છતાં ‘રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે' પણ જો રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નયાભાસ છે. બંને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાના પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ જીવ લક્ષ કરે ત્યારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટે છે તેથી તે નય રાગરહિત નય છે; તેને ‘શુઘ્ધનયનો આશ્રય અથવા શુઘ્ધનયનું અવલંબન’ પણ કહેવામાં આવે છે; તે દશાને નયાતિક્રાંત' પણ કહેવામાં આવે છે, તેને જ *૧૪૬ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy