________________
8
8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન -- (૧)નટેજૈન સમીતા વીતરામ દર્શન છે
- –
(૨)
(૧) જૈન દર્શન એટલે વસ્તુ સ્વરૂપ-વીતરાગ વિજ્ઞાન. એના બે ભાગ (૧) વિશ્વ વ્યવસ્થા
(૨) વસ્તુ વ્યવસ્થા. આ વિશ્વ એક સુનિશ્ચિત-સુનિયોજીત અનાદિ-અનંત સ્વયં સંચાલીત ન્યાયયુક્તપ્રામાણિક વ્યવસ્થા પ્રમાણે ચાલી રહ્યું છે. આ વ્યવસ્થાની જાણકારી એ સંપૂર્ણ
જ્ઞાનનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. (૩) હવે પ્રથમ પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી સુંદર વ્યવસ્થાની જાણકારી કોને થઈ?
એવી કોઈ “સર્વજ્ઞ' નામની સત્તા હોવી જોઈએ. તે સિવાય આ કાર્ય શક્ય નથી. જે આત્માઓએ પોતાની પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ કરી છે, એવી સત્તા વિશ્વમાં છે. કેવળી ભગવંતોએ પોતાના કેવળજ્ઞાનની પર્યાયમાં લોકાલોકને જાણ્યું છે એનું પ્રમાણ
છે, દિવ્ય ધ્વનિ. એ દિવ્યજ્ઞાન શું ન જાણી શકે ? (૪) એ સર્વજ્ઞતા જે પર્યાયમાં પ્રગટ થઈ – તો તેનું ઉદ્ભવ સ્થાન પણ હોવું જોઈએ.
દરેક આત્મામાં એ સર્વજ્ઞતા શક્તિરૂપે પડેલી છે. એવો સર્વજ્ઞ સ્વભાવ - એની સત્તા છે, એની શ્રદ્ધા કરવી જોઈએ. “હું પણ એવો એક સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને એ સર્વજ્ઞતા પ્રગટ કરવાને લાયક છું”
એની શ્રદ્ધા કરવી. (૫) આ વાતની શરૂઆત લોકના વર્ણનથી થાય છે. (૧) છ દ્રવ્યોના સમુહને લોક કહે છે. છ દ્રવ્યના નામ આ પ્રમાણે છે.
(૧) જીવ (૨) પુદ્ગલ (૩) ધર્મ (૪) અધર્મ (૫) આકાશ (૬) કાળ (૨) ક્ષેત્રની અપેક્ષાએ લોકના ત્રણ ભાગોનું વર્ણન છે. (૧) ઊર્ધ્વલોક (દેવલોક)
(૨) અધોલોક (નારકી) (૩) મધ્યલોક, પંદર કર્મભૂમિ-પાંચ ભરત, પાંચ
ઐરાવત, પાંચ મહાવિદહે ક્ષેત્ર, આ લોક દ્વીપ-સમુદ્રોથી ભરેલો છે. (૩) કાળની અપેક્ષાથી - કાળ ચક્રનું વર્ણન છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી
એમ છ આરાનું વર્ણન છે. દરેક આરો કેટલા સમયનો એ ચોક્કસ માપ છે. કયા ક્ષેત્રોમાં કયો કાળ હોય એ પણ સુનિશ્ચિત છે અને ભવ્ય જીવોનો મોક્ષ
ચોથા કાળમાં થાય છે.. (૪) ભાવથી દરેક દ્રવ્ય અનંત ગુણ-શક્તિઓથી ભરપુર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org