________________
8980% જેન સનાતન વીતરાગ દર્શન B----
છે જેનો ઉપયોગ ધર્મી જીવોને હણા બતાવીને પોતાની મોટાઈ લેવાના ભાવરૂપે થયો છે, ધર્મીનો વિરોધ કરીને જે પોતાની મોટાઈ ઈચ્છે છે, તે પોતાના આત્મકલ્યાણનો વેરી છે, મિથ્યાષ્ટિ છે. તેનો અનંત સંસાર બાકી છે.
સૌથી પહેલાં ધર્માત્માઓનું યથાર્થ સ્વરૂપ જાણી શ્રદ્ધાન કરવું. (૩) ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ :
ધર્મ એટલે સ્વભાવ, અને તેનો ધારણ કરનાર ધર્મી એટલે આત્મા. જે આત્મા ધર્મરૂપે – સ્વભાવરૂપે પરિણમી ગયા છે તે ધર્માત્મા. .
જેને ધર્માત્માની અરુચિ તેને ધર્મની અરુચિ..
જેને ધર્મની અરુચિ તેને આત્માની અરુચિ.... અને આત્માની અરુચિપૂર્વકના જે ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાયો હોય તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ જ હોય. એટલે જે ધર્માત્માઓનો, ધર્મીનો, ધર્મનો અનાદાર કરે છે તે અનંતાનુબંધી રાગ-દ્વેષવાળો છે અને તેનું ફળ અનંત સંસાર છે.
જેને ધર્મની રુચિ છે તેને પોતાના પરિપૂર્ણ સ્વભાવની રુચિ છે. હવે તેનો પોતાના પરિપૂર્ણ સ્વભાવને પર્યાયમાં સાધવાનો પુરુષાર્થ ઊપડ્યો છે તેનો ક્રમ આ પ્રમાણે પડે છે - (૧) રુચિ (૨) પ્રતીતિ (૩) જિજ્ઞાસા (૪) લક્ષ (૫) એકાગ્રતા અને (૬) અનુભવ.
- સાધનાનો ક્રમ આ પ્રમાણે છે – (૧) પાત્રતા-રુચિ એ પાત્રતાનું મુખ્ય લક્ષણ છે. (૨) અભ્યાસ - સત્સંગ અને સ્વાધ્યાય (૩) તત્ત્વનો-પોતાના સ્વભાવનો નિર્ણય... “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' (૪) ભેદજ્ઞાનની કળાનો અભ્યાસ.... સ્વ-પરનું ભેદજ્ઞાન... પ્રયોગાત્મક પદ્ધતિ.... જ્ઞાનથી ભેદજ્ઞાન અને ભેદજ્ઞાન કરતાં કરતાં સમ્યજ્ઞાન (૫) આત્માનો અનુભવ... પછી સ્વરૂપમાં સ્થિરતા થતાં પૂર્ણ ધર્મની પ્રાપ્તિ-કેવળજ્ઞાન. પૂર્ણ સુખની પ્રાપ્તિ... પછી અનંતકાળ સુધી અનંત સુખ ભોગવ્યા જ કરે.
જેને ધર્મની રુચિ છે તેને પરિપૂર્ણ સ્વભાવની રુચિ છે. હવે તે તેને પ્રાપ્ત કર્યા વગર રહી જ ન શકે.
તેને બીજા ધર્માત્માઓ પ્રત્યે અણગમો કે અદેખાઈ ન હોય. પોતા પહેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org