________________
છે કે જે જૈન સનાતન વીતરાગ દર્શન 8 ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. આત્મા ચૈતન્યતત્વ છે, જ્ઞાયકસ્વરૂપ છે એને ઓળખવો. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતે જાણનારો છે, જ્ઞાયક-જ્ઞાતા છે. દરેક દ્રવ્યની પર્યાયો તેના ઉપાદાનની યોગ્યતા પ્રમાણે ક્રમબદ્ધ થાય છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. એ સમજવા માટે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રાદિક બાહ્ય નિમિત્તો હોય છે, પણ જે જ્ઞાન-દર્શન-ચારિત્ર બધું પ્રગટે છે, તે પોતાના જ પુરુષાર્થથી પોતાની પર્યાયમાં પ્રગટે છે. એ મૂળ તત્ત્વને ઓળખવું એ જ કરવાનું છે. બીજું બહારનું તો અનંતકાળમાં ઘણું કર્યું છે. શુભભાવની બધી ક્રિયાઓ કરી, શુભભાવમાં ધર્મ માન્યો.. પણ ધર્મ આત્મામાં જ છે. શુભ તો વિભાવ છે, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, એમાં કયાંય શાંતિ નથી. જો કે એવી નિર્વિકલ્પ અનુભૂતિ થાય એ પહેલાં વિકલ્પ (શુભભાવ) આવ્યા વિના રહેતો નથી. તો પણ ત્યાં તો શાંતિ નથી જ. શાંતિ હોય, સુખ હોય - આનંદ હોય એવું તત્ત્વ તો ચૈતન્યતત્ત્વ જ છે. માટે ચૈતન્યતત્ત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેયરૂપ છે. તે મનુષ્ય જીવનમાં કરવા યોગ્ય-હિતરૂપ-કલ્યાણરૂપ એક જ છે. આ મનુષ્ય ભવમાં એક જ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ કરવા જેવી છે. એ જ જૈનશાસન છે.
(૪) મોક્ષનો એકાંત નિયમ ચિત્તની ચેતનામાં અચલતા. ભેદજ્ઞાન વડે આત્માને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન જાણીને તેમાં જ એકાગ્રતા કરે છે તેને નિયમથી મુક્તિ થાય છે. - ચૈતન્યસ્વરૂપમાં જે અચલપણે એકાગ્રતા કરે છે તેને જ નિયમથી-એકાંત મુક્તિ થાય છે, ને એ સિવાય વ્યવહારમાં જે એકાગ્રતા કરે છે તેને મુક્તિ થતી જ નથી, આવો અનેકાન્ત છે. આ રીતે શુદ્ધોપયોગથી જ મુક્તિ થાય છે, શુભરાગથી કોઈને કદી મુક્તિ થતી નથી – એ અબાધિત નિયમ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવડે જરૂર મુક્તિ થાય છે. એ સિવાય પંચ મહાવ્રતાદિનો શુભરાગ તે કાંઈ મુક્તિનું કારણ નથી. જ્યાં શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હોય ત્યાં દિગંબરપણું વગેરે પણ જરૂર હોય છે, ને ત્યાં જરૂર મુક્તિ થાય છે. આ રીતે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિયમથી એકાંતપણે મોક્ષનું કારણ છે. મુક્તિ ચૈતન્યમાં એકાગ્રતાથી જ થાય છે. ચૈતન્યસ્વરૂપમાં લીનતા જ મુક્તિનું કારણ છે. આ જ સનાતન વીતરાગી દિગંબર જૈનધર્મ છે. તેનું શરણું સ્વીકારો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org