________________
(૨)
8888 જેન સનાતન વીતરાગદર્શન
- પ્રશ્નઃ અમે તો આપના શરણે આવ્યા છીએ એટલે અમારી નાવ પાર કરી ધ્યો! ઉત્તર : કોઈ કોઈનું કાંઈ કરી શકે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતાના પરિણામોની જવાબદારીથી બંધાયેલો છે. આવી અધ્યાત્મની વાત અત્યારે જે સાંભળે છે અને પુણ્ય ઊંચા જ થાય, એ મરીને સ્વર્ગમાં જાય કે મનુષ્ય થાય.
ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. આ બધું છોડીને તારે જવું પડશે. દેહ વિલયની આવી નિયત સ્થિતિને જાણીને, તે સ્થિતિ આવી પડે તે પહેલાં જ તું ચેતી જ. એ બધા તને છોડે તે પહેલાં તું અંદરથી એ બધાને છોડી દે. આકરું કામ છે બાપુ ! અંદરમાં વૈરાગ્ય...વૈરાગ્ય ! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી અને તારે લઈને આવ્યું નથી. તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે. આ મનુષ્યભવ તે ભ્રમણી તોડવા માટે છે.
(૩) સનાતન દિગંબર જૈન ધર્મ જ સત્ય છે. | તીર્થકર ભગવંતોએ પ્રકાશેલો સનાતન દિગંબર જૈન ધર્મ જ સત્ય છે. જે વીતરાગ માર્ગ અનાદિ-અનંત ચાલી રહ્યો છે, અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી આદિ બીજા તીર્થકર જે માર્ગ પ્રકાશી રહ્યા છે અને આ ભરતક્ષેત્રમાં ચોથાકાળમાં આદિનાથની કરી મહાવીર સુધી તીર્થકર ભગવંતોએ જે માર્ગની પ્રરૂપણા કરી છે તે જ સનાતન જૈન ધર્મ સત્ય છે. ગુરુદેવે ૪૫ વર્ષ સુધી યુક્તિ-ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે. તેનો સ્વીકાર કરી એ માર્ગે શ્રદ્ધાપૂર્વક આગળ વધી
સ્વાનુભૂતિ કરવાની છે. તેમાં મુખ્ય કરીને (૧) દ્રવ્યની સ્વતંત્રતા (૨) દ્રવ્ય-ગુણપર્યાય (૩) ક્રમબદ્ધ પર્યાય (૪) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા (૫) નિશ્ચય-વ્યવહાર (૬) આત્માનું શુદ્ધ સ્વરૂપ (૭) સમ્યગ્દર્શન (પરમાર્થ) (૮) સ્વાનુભૂતિ (૯) નિશ્ચય રત્નત્રય (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ) (૧૦) સમ્યક્ અનેકાંતવાદ. આ બધા વિષયોનું જ્ઞાન આ કાળે એમના પ્રતાપે સત્યરૂપે બહાર આવ્યું છે. પંચમકાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમસદ્ભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવ કહી રહ્યા છે એ માર્ગ આ પ્રમાણે છે :
આ ચૈતન્યને ઓળખવું. ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો – એ જ કરવાનું છે. એ અભ્યાસ કરતા કરતાં આત્માની રાગાદિથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org