________________
જેને સનાતન વીતરાગ દર્શન @@@@@ આ બધાનો સરવાળો એમ છે કે જ્યારે કોઈપણ કાર્ય થાય ત્યારે પાંચ સમવાય હોય જ છે.
(૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ.
આમ હોવાથી જીવદ્રવ્ય દેહાદિકની ક્રિયા તો કરી શકતું જ નથી, પોતાના વિશેષમાત્રને કરી શકે છે. સંકલ્પ-વિકલ્પરૂપ વિશેષ તે દુઃખપંથ છે, વિપરીત પુરુષાર્થ છે, જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી, પરમાં પોતાનું કાંઈ કર્તુત્વ નથી એમ નિર્ણય કરી, નિજ દ્રવ્યસામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ વિશેષ તે સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે. આ વસ્તુવિજ્ઞાનના સિદ્ધાંતોમાં આ વિષયો મુખ્યપણે સમજાઈ જાય છે. ૧. દ્રવ્ય-ગુણ-પર્યાય
૧૧. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ૨. દ્રવ્યની સ્વતંત્રતા
૧૨. નિશ્ચય-વ્યવહાર ૩. ક્રમબદ્ધ પર્યાય
૧૩. કર્તાપણું-જ્ઞાતાપણું ૪. ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૧૪. સાધક દશા ૫. પાંચ સમવાય
૧૫. મુક્તિના નિઃસંદેહ ભણકાર ૬. પુરુષાર્થ
૧૬. સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિ ૭. દ્રવ્યદૃષ્ટિ
૧૭. અસ્તિ-નાસ્તિ ૮. સમ્યગ્દર્શન
૧૮. આત્મજ્ઞ તથા સર્વજ્ઞ ૯. સમ્યગ્દષ્ટિની ધર્મ ભાવના
૧૯. અનેકાંત અને એકાંત ૧૦. સર્વજ્ઞની સાચી શ્રદ્ધા (દવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા) ૨૦. જ્ઞાન સ્વભાવ
(૨) સુખી થવાનો ઉપાય (૧) અરે ! આખો દી ધંધા ને બાયડી-છોકરાની મમતામાં, શરીરની મમતામાં, શુભ
રાગની મમતામાં જીવન ગાળે છે એનું શું થશે? એકલી મમતા ને મમતાના ફળમાં મરીને ઢોરમાં જશે. અહીં વાણીઓ કરોડપતિ હોય ને મરીને ભૂંડ થાય ને વિષ્ટા ખાશે! એણે મારું શું થશે? એમ નક્કી કરવું જોઈએ ને ! કે મરીને હું ક્યાં જઈશ? અહીં તો થોડો કાળ રહેવાનું છે. પછી મારું શું થશે અને કયાં જઈશ?
ક્યાં જઈશ એ નક્કી થઈ શકે? હા, શાસ્ત્રથી પરિણામ મેળવે તો નકકી થઈ શકે છે.
૧૩૧ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org