SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - 0--- હવે તેનાથી પણ માર્મિક બીજો ગહન સિદ્ધાંત કહે છે. આ જે પણ પરિણમન થઈ રહ્યું છે તે “ક્રમબદ્ધ છે. જે પ્રમાણે સર્વજ્ઞભગવાને નિયત થયેલું જોયું છે તે જ પ્રમાણે થાય છે. બધા જ દ્રવ્યની (જીવ કે અજીવ) બધા ગુણોની પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. આ સિદ્ધાંતને “ક્રમબદ્ધપર્યાય' નો સિદ્ધાંત કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુસ્વરૂપનું આ રીતે ચિંતવન કરે છે. “જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધિથી જન્મ તથા મરણ તેમજ દુઃખ, સુખ, રોગ, દારિદ્ર આદિ જેમ સર્વજ્ઞદેવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું. તેને નિવારી શકવા નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ સમર્થ નથી. આનો ભાવાર્થ એમ છે કે સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થા જાણે છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે ચોક્કસપણે થાય છે. તેમાં અધિક-હીન કાંઈ થતું નથી. આ સિદ્ધાંતમાં એકાંતવાદ કે નિયતવાદ નથી પરંતુ આમાં જ સાચો અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તેમજ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા તે નિયતવાદ નથી પણ સભ્યપુરુષાર્થવાદ છે. બધા જ પરદ્રવ્યોની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કર્તા સ્વયં તે તે દ્રવ્યો છે, પણ હું એનો કર્તા નથી, અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી, કોઈ નિમિત્તના કારણે રાગ-દ્વેષ થતા નથી. આ રીતે નિમિત્ત અને રાગ-દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી, તે અવસ્થા જ્ઞાતાસ્વરૂપને જાણે, રાગને જાણે અને બધા પરને પણ જાણે, માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે, રાગ થાય તે જ્ઞાનનું જોય છે પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. આમાં કઈ રીતે પુરુષાર્થ આવ્યો તે કહે છે : (૧) પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું પરનો કર્તા નથી એમ નક્કી કર્યું એટલે બધા પરદ્રવ્યનું અભિમાન ટળી ગયું. (૨) ઊંધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ-દ્વેષ કરતો તે ટળી ગયો. આ રીતે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરતાં પરદ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગ-દ્વેષ રહિત જ્ઞાતાસ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના હિત માટે પરમાં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્યું – જ્ઞાયક તરફ વળ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy