________________
8 8 8 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન
%
ખરેખર કાન અને મનથી રહિત છે. જે ઘરમાં દેવ-શાસ્ર-ગુરુની ઉપાસના થતી નથી તે ખરેખર ઘર જ નથી કેદખાનું છે.
ધર્માત્માઓ પ્રત્યે દાન તેમજ બહુમાનનો ભાવ આવે તેમાં પોતાની ધર્મભાવના ચૂંટાય છે. જેને પોતાને ધર્મનો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ, પ્રેમ અને બહુમાન આવે જ છે. ધર્મ ધર્મીજીવના આધારે છે, તેથી જેને ધર્મી જીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. ભવ્ય જીવોએ સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ.
(૨૦) મનુષ્યપણું પામીને જીવન કેમ જીવવા જેવું છે :
૧.
૨.
-
૩.
૪.
સારઃ ૧.
૨.
૩.
૪.
૫.
આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન અને શ્રદ્ધા કરવા જેવી છે. પ્રથમ કર્તવ્ય આ છે.
પુણ્ય-પાપ રહિત નિર્મળાનંદ આત્મસ્વભાવ ભગવંતોએ કહ્યો છે તેનો આશ્રય કરવાથી મુક્તિ થયા વિના રહે નહિ.
શરીર અને રાગથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને અનંતકાળમાં એક સમય પણ જાણ્યો નથી. જો જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ. માટે આ મનુષ્યભવમાં આ જ કરવા જેવું છે આત્માનો અનુભવ ! આ દાવ ચૂકવા જેવો નથી. જીવે પૂર્વે આત્મસ્વભાવની વાત સાંભળી છે, પણ અંતરમાં તેની રૂચિ કરી નથી. સત્સમાગમે એવા જ્ઞાનસ્વભાવની ઓળખાણ કર ! મનુષ્યપણું પામીને આ જ કરવા જેવું છે.
એક જ ધ્યેય જ્ઞાયક આત્મા કેમ ઓળખાય?
તત્ત્વનો યથાર્થ નિર્ણય – તે માટે અભ્યાસ સત્સંગ અને સ્વાધ્યાય નિયિમત કરવો.
‘હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું’
પ્રથમ અંદર જ્ઞાન અને શ્રદ્ધામાં પુરુષાર્થ કરવાનો છે.
પ્રયોગમાં પર્યાય પર્યાયે ભેદજ્ઞાનનો અભ્યાસ.
-
ભેદજ્ઞાન અને સ્વભાવના આશ્રયથી આત્માનુભવ સમ્યગ્દર્શન - સુખની પ્રાપ્તિ થાય જ. આ જ એક ઉપાય છે. આ પાંચમાં જીવન જાય તે જીવન સફળ છે.
***
૧૨૭
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org