________________
88 8 8 જેને સનાતન વીતરાગ દર્શન
થાય છે. નિજ સ્વભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પરમાત્મા તત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે. વર્તમાનકાળે પામે છે, અને ભાવિકાળે
પામશે. ૧૦. આ પરમાત્મા તત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ-નિરાવરણ,
નિત્યાનંદ – એક સ્વરૂપ છે, સ્વભાવ-અનંત ચતુષ્ટયથી સનાથ છે. સુખ સાગરનું પૂર છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે! ભવ્ય જીવો ! આ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરી તમે
શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. (૧૮) અભિપ્રાયની ભૂલ : સૌથી પહેલાં એ સમજવાની વાત છે કે મૂળ ભૂલ
અભિપ્રાયની છે. જુઓ દ્રવ્યસ્વભાવ, પર્યાયસ્વભાવ અને સંયોગો ત્રણે સાથે છે. તે સંબંધી તમારો અભિપ્રાય સાચો હોવો જોઈએ. સંયોગો જડ છે, ત્યાં ચેતનની સત્તા નથી, જડની ક્રિયા આત્મા કરી શકતો નથી. આત્માનું સુખ તેમાં નથી. વર્તમાન પર્યાયમાં જે દોષ છે તેનો પણ આત્મા કર્તા નથી – કારણ કે તે સ્વભાવમાં નથી. હું એક જ્ઞાયકભાવ છું', ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ જ છું એ પોતાના દ્રવ્ય સ્વભાવનો સાચો અભિપ્રાય છે.
બસ દરેક ઉદય પ્રસંગે આ રીતે ભેદજ્ઞાન કરી દેહથી અને રાગથી ભિન્ન છું અને હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું – આ જ એક સાધનોનો સત્ ઉપાય છે. પર્યાયે પર્યાયે આ જ કરવા જેવું છે. જ્ઞાનથી ભેદજ્ઞાન-અને ભેદજ્ઞાનથી કેવળજ્ઞાનની પર્યાય પ્રગટે છે. આ વાત સમજવા જેવી છે, જ્ઞાનની કે ક્રિયાની ભૂલ નથી... અભિપ્રાયની ભૂલ એ જ વિપરીત માન્યતા-મિથ્યાત્વ
મોટો પાપ છે. (૧૯) દેવ-શાસ્ત્ર-ગુરુની ઉપાસના ઃ જે વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુઓને માનતો
નથી, તેમની સાચી ઓળખાણ તેમજ ઉપાસના કરતો નથી, તેને તો સૂર્ય ઊગવા છતાં અંધકાર છે. વળી જે વીતરાગ ગુરુઓ દ્વારા પ્રણીત સાસ્ત્રોનો અભ્યાસ કરતો નથી, તે આંખ હોવા છતાં પણ આંધળો છે. જ્ઞાની ગુરુ પાસે રહીને જે શાસ્ત્ર શ્રવણ કરતો નથી અને હૃદયમાં તેના ભાવ અવધારતો નથી, તે મનુષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org