________________
૫.
- 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન
આશ્રય, પરમાત્મા તત્ત્વનું આલંબન, પરમાત્મા તત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મા તત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મા તત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્મા તત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્મા તત્ત્વની ભાવના, પરમાત્મા તત્ત્વનું ધ્યાન કહેવાય છે. હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મા તત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મા તત્ત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલ ચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે. અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્ત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મા તત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પરમાત્મા તત્ત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ, શુકલધ્યાન વગેરે બંધુય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મા તત્ત્વના આશ્રયથી અન્ય
હોય. ૬. પરમાત્મા તત્ત્વથી અન્ય એવા ભાવોને – વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર
પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને - મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. શુભભાવો દરેક જીવ અનંતવાર કરી ચૂક્યો છે, પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયા છે કારણ કે પરમાત્મા તત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશ માત્ર પણ હોતી નથી.
જ્યાં સુધી જીવની દૃષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મા ઉપર ન પડતા ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક પાધિક ઉછાળા-શુભાશુભ વિકલ્પો-શમતા નથી, પરંતુ જ્યાં તે દૃષ્ટિને પરમાત્મા તત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તો તે જ ક્ષણે તે જીવ દૃષ્ટિ અપેક્ષાએ કૃતકૃત્યતા અનુભવે છે. અપૂર્વ સમરસભાવનું વેદન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org