SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 8 89 જૈન સનાતન વીતરાગ દર્શનES . રાગાદિ વિકાર થાય છે તે પોતામાં થાય કે પરમાં? પોતામાં જ થાય. ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ પરવસ્તુ કરાવી દેતી નથી. એકલો કોઈ બગડે નહિ, બે થાય એટલે બગડે. એકડે એક, બગડે બે. બે બંગડી ભેગી થાય તો ખખડે, તેમ આત્મા પરવસ્તુ ઉપર દૃષ્ટિ મૂકે છે ત્યારે ભૂલ થાય છે, એકલો હોય તો ભૂલ થાય નહિ. પોતાના સ્વભાવ ઉપર દૃષ્ટિ મૂકે તો ભૂલ થતી નથી. માટે આત્માને વિકાર થવામાં પરચીજ નિમિત્ત છે, પરંતુ પરચીજ વિકાર કરાવી દેતી નથી. આવી ઉપાદાન-નિમિત્તની સહજ સંધિ છે. મોહ, રાગ, દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જડની જ અવસ્થા છે, કારણ કે જડ તરફના વલણવાળો ભાવ છે માટે તેને જડનો કહ્યો છે. તે ભાવ આત્માનો સ્વભાવ નથી અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી માટે તેને જડ કહ્યો છે. બાકી થાય તો પોતાની પર્યાયમાં પર્યાયની યોગ્યતાથી જ. આવી રીતે ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ વિસ્તારથી સમજવું. (૧૩) નિશ્ચય-વ્યવહાર ઃ વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું કહેવું તે નિશ્ચય છે અને તેમાં ભેદ કરીને કે એક સાથે બીજાને ભેળવીને કહેવું તે વ્યવહાર છે. વીતરાગી પર્યાય એ જ નિશ્ચય મોક્ષમાર્ગ-સાચો ધર્મ છે. જોઈને ચાલવું, ભાષા મૃદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેનું સમાધાન એ છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. “સ્વસ્તિ” શબ્દનો અર્થ પ્લેચ્છ ન સમજી શકે, પણ “સ્વસ્તિ” નો અર્થ તેની ભાષામાં કહે કે “તારું અવિનાશી કલ્યાણ થાઓ તો તે જીવ સમજી શકે છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડીને સમજાવે છે પણ તે ભેદ કહેવા માત્ર છે; આત્મામાં ખરેખર એવા ભેદ નથી, આત્મા તો અભેદ છે. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. જેને મોક્ષ પ્રિય હોય તેને મોક્ષનું કારણ પ્રિય હોય, ને બંધનું કારણ તેને પ્રિય ન હોય. મોક્ષનું કારણ તો આત્મસ્વભાવમાં અંતર્મુખ વલણ કરવું તે જ છે, - ૧૨૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy