________________
કે જેને સનાતન વીતરાગ દર્શન @@@ ને બહિર્મુખ વલણ તો બંધનું જ કારણ છે; માટે જેને મોક્ષ પ્રિય છે એવા મોક્ષાર્થી જીવને અંતર્મુખ વલણની જ રુચિ હોય છે, બહિર્મુખ એવા વ્યવહાર ભાવોની તેને રુચિ હોતી નથી. પહેલાં અંતર્મુખ વલણની બરાબર રુચિ જામવી જોઈએ. પછી ભલે ભૂમિકાનુસાર વ્યવહાર પણ હોય, પણ ધર્મીને મોક્ષાર્થીને તે આદરવારૂપે નથી, પણ તે હેયરૂપે ને શેયરૂપે જ છે. અંતર્મુખ વલણની રુચિ હોવાથી, જેમ જેમ તે અંતર્મુખ થતો જાય છે તેમ તેમ બહિર્મુખ ભાવો છૂટતા જાય છે. આ રીતે નિશ્ચય સ્વભાવમાં અંતર્મુખ થતાં બહિર્મુખ એવા
વ્યવહારભાવોનો નિષેધ થઈ જાય છે. (૧૪) અનંતાનુબંધી કષાય અને ધર્મના દસ લક્ષણ ? આત્મા તદ્દન જ્ઞાયક છે; તે
સ્વભાવનું ન રુચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. “અખંડ ચૈતન્યસ્વભાવ તે હું નહિ એમ સ્વભાવનો અણગમો – સ્વભાવ ન ગોઠે તે અનંતાનુબંધી ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ-ભેદ અજીવના સંબંધે દેખાય છે. દૃષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું તે ક્રોધ છે. પર પદાર્થ પ્રત્યે અહબુદ્ધિ તે અનંતાનુબંધી માન છે. વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવવું તેનું નામ અનંતાનુબંધી માયા છે, સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઈચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે.
સમ્યગ્દર્શન થતાં-ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયની પ્રથમ ચોકડીનો અભાવ થાય છે.
શ્રાવકના બાર વ્રત અંગીકાર કરતાં પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાની કષાયની બીજી ચોકડીનો અભાવ થાય છે. | મુનિના પાંચ મહાવ્રત અંગીકાર કરતાં છઠ્ઠા ગુણસ્થાને પ્રત્યાખ્યાની કષાયની ત્રીજી ચોકડીનો અભાવ થાય છે. ફક્ત સંવલન કષાય જ હોય છે. પૂર્ણ વીતરાગતા થતાં બધા જ કષાયનો અભાવ થઈ જાય છે. ધર્માના દસ લક્ષણઃ (૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ (૩) ઉત્તમ આર્જવ (૪) ઉત્તમ શૌચ (૫) ઉત્તમ સત્ય (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય.
- આ આત્માની ચારિત્ર ગુણની પર્યાયો છે. દશ લક્ષણ મહાપર્વ એ જ એક માત્ર એવું પર્વ છે જે પરમ ઉદાત્ત ભાવનાઓનું પ્રેરક, વીતરાગતાનું પોષક તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org